
નવી દિલ્હી, 16 ડિસેમ્બર (હિ.સ.) સાહિત્ય અકાદમી પુરસ્કારો 2025 ના વિજેતાઓની
જાહેરાત, ગુરુવારે કરવામાં આવશે.
સાહિત્ય અકાદમી સચિવ પલ્લવી પ્રશાંત હોલકરે મંગળવારે
જણાવ્યું હતું કે,” અકાદમી 24 ભારતીય ભાષાઓમાં ઉત્કૃષ્ટ પુસ્તકો માટે વાર્ષિક
પુરસ્કારોની જાહેરાત કરતા હોય છે. 2025 ના પુરસ્કારોને સાહિત્ય અકાદમીના કાર્યકારી બોર્ડ દ્વારા
મંજૂરી આપવામાં આવશે, જેની બેઠક 18 ડિસેમ્બરે,
અકાદમી મુખ્યાલયમાં આયોજિત કરવામાં આવી હતી.”
તેમણે કહ્યું કે,” ફિરોઝશાહ રોડ પર સાહિત્ય અકાદમીના
મુખ્યાલય રવિન્દ્ર ભવન ખાતે, બેઠક બાદ બપોરે 3 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સમાં પુરસ્કારોની જાહેરાત કરવામાં
આવશે.”
હિન્દુસ્થાન સમાચાર / પવન કુમાર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ