નાદિયામાં ધુમ્મસને કારણે, વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ ખોરવાયો, કલકતાથી વર્ચ્યુઅલ સંદેશ આપવામાં આવ્યો
કલકતા, નવી દિલ્હી, 20 ડિસેમ્બર (હિ.સ.) ખરાબ હવામાન અને ગાઢ ધુમ્મસને કારણે પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના તાહેરપુરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્ધારિત કાર્યક્રમમાં વિક્ષેપ પડ્યો. શનિવારે, પ્રધાનમંત્રીનું
કલકતા


કલકતા, નવી દિલ્હી, 20 ડિસેમ્બર

(હિ.સ.) ખરાબ હવામાન અને ગાઢ ધુમ્મસને કારણે પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના

તાહેરપુરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્ધારિત કાર્યક્રમમાં વિક્ષેપ પડ્યો.

શનિવારે, પ્રધાનમંત્રીનું

હેલિકોપ્ટર તાહેરપુરમાં કાર્યક્રમ સ્થળ નજીક હેલિપેડ પર ઉતરવામાં નિષ્ફળ ગયું, જેના કારણે તેમને

કલકતા પાછા ફરવાની ફરજ પડી. ત્યારબાદ પ્રધાનમંત્રીએ કલકતાથી ઓડિયો સંદેશ દ્વારા

તાહેરપુરમાં કાર્યક્રમ સ્થળ પર એકઠા થયેલા લોકોને સંબોધિત કર્યા.

નિર્ધારિત સમય મુજબ, પ્રધાનમંત્રી દમદમના નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય

વિમાનમથકથી વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા, તાહેરપુર જવા રવાના થયા. જોકે, સ્થળની નજીક નબળી

દૃશ્યતા અને ગાઢ ધુમ્મસને કારણે, હેલિકોપ્ટર ઉતરી શક્યું નહીં. સુરક્ષા ચિંતાઓને

કારણે, હેલિકોપ્ટરને

હવામાં કલકતા એરપોર્ટ તરફ વાળવામાં આવ્યું.

હેલિકોપ્ટર ઉતરાણ નિષ્ફળ ગયા પછી, પ્રધાનમંત્રીને સડક

માર્ગે તાહેરપુર લઈ જવાના વિકલ્પ પર વહીવટી સ્તરે ચર્ચાઓ શરૂ થઈ. આશરે 90 કિલોમીટરની

યાત્રા માટે સુરક્ષા વ્યવસ્થાની સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવી. કલ્યાણી

એક્સપ્રેસવેનો ઉપયોગ કરવાની યોજના બનાવવામાં આવી હતી, અને રાષ્ટ્રીય

ધોરીમાર્ગ 12 પણ વૈકલ્પિક

માર્ગ તરીકે તૈયાર કરવામાં આવ્યો હતો.

જિલ્લા ટ્રાફિક પોલીસ અને વડાપ્રધાનની સુરક્ષામાં સામેલ

અધિકારીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા હતા.

જોકે આખરે, સડક માર્ગે તાહેરપુર પહોંચવાની યોજના પણ રદ કરવામાં આવી

હતી. ત્યારબાદ, વડાપ્રધાન

નરેન્દ્ર મોદીએ કલકતાથી ઓડિયો સંદેશ દ્વારા તાહેરપુર જાહેર સભાને સંબોધિત કરી.

આ પહેલા, તાહેરપુર જાહેર સભામાં, પ્રદેશ ભાજપ પ્રમુખે મંચ પરથી જાહેરાત કરી હતી કે, ખરાબ

હવામાનને કારણે, વડાપ્રધાન

નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી પોતાનું સંબોધન કરશે. ધુમ્મસને કારણે. સમગ્ર કાર્યક્રમ

ખોરવાઈ ગયો, અને તાહેરપુરમાં

મોદીને જોવા માટે રાહ જોઈ રહેલી ભીડ નિરાશ થઈ ગઈ. મંચ પરથી જાહેરાત થતાં જ કે, વડાપ્રધાન

નરેન્દ્ર મોદી સભામાં હાજરી નહીં આપે અને વર્ચ્યુઅલી સભાને સંબોધન કરશે, ત્યાં હાજર ભીડ

ખૂબ નિરાશ દેખાઈ રહી હતી અને લોકો ઉભા થઈને જતા રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande