
પોરબંદર, 22 ડિસેમ્બર (હિ.સ.) પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનના વિશ્વાઘાત અને છેતરપીંડીના કેસમા છેલ્લા છ વર્ષથી લાલ શાહીથી નાસતા ફરતા આરોપીને કમલાબાગ પોલીસે હરિયાણા ખાતે ઝડપી લીધો હતો પોરબંદરન કમલાબાગ પોલીસ સ્ટેશનમા વર્ષ 2019મા રમેશ ભલેરામ ચમાર (સમાર) .હહસાર રાજ્ય હરીયાણા સામે વિશ્વાતઘાત અને છેતરપીંડીનો કેસ નોધાયો હતો અને ત્યારથી આરોપી નાસતો ફરતો હતો આ શખ્સને શોધવા માટે પોલીસે ટેકનિકલ તથા હ્યમુન ઈન્ટેલીજન્સ થી સંયુક્ત બાતમીના આધારે રમેશ ભલેરામ ચમાર (સમાર)ને હરિયાણા ખાતે ઝડપી લીધો હતો અને તેમની પુછપરછ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya