સિદ્ધપુરમાં 24 ડિસેમ્બરે પાણી પુરવઠો એક દિવસ માટે બંધ રહેશે.
પાટણ, 22 ડિસેમ્બર (હિ.સ.) પાણી પુરવઠા બોર્ડ દ્વારા ધરોઈ જૂથ યોજનામાં 23 ડિસેમ્બર, 2025ના રોજ મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવશે. આ કારણે ધરોઈ યોજનામાંથી પાણીનો પુરવઠો એક દિવસ માટે બંધ રહેશે. આ કામગીરીની અસરરૂપે 24 ડિસેમ્બર, 2025ના રોજ સિદ્ધપુર નગ
સિદ્ધપુરમાં 24 ડિસેમ્બરે પાણી પુરવઠો એક દિવસ માટે બંધ રહેશે.


પાટણ, 22 ડિસેમ્બર (હિ.સ.) પાણી પુરવઠા બોર્ડ દ્વારા ધરોઈ જૂથ યોજનામાં 23 ડિસેમ્બર, 2025ના રોજ મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવશે. આ કારણે ધરોઈ યોજનામાંથી પાણીનો પુરવઠો એક દિવસ માટે બંધ રહેશે.

આ કામગીરીની અસરરૂપે 24 ડિસેમ્બર, 2025ના રોજ સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં પાણી વિતરણ પ્રભાવિત થશે. સૈફીપુરા, દરબારગઢ અને રાજપુર વોટર વર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં ખાસ કરીને પાણી પુરવઠામાં વિક્ષેપ રહેશે.

નગરપાલિકા દ્વારા આ સમયગાળા દરમિયાન બોરવેલના ઉપલબ્ધ સ્ટોરેજ મુજબ મર્યાદિત પાણી આપવામાં આવશે. તેથી નગરપાલિકાએ રહીશોને આગોતરા પાણીનો સંગ્રહ કરી રાખવા અને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande