જામનગરવાસી વડીલનો ગજબ પ્રકૃતિપ્રેમ: વેરાન વગડામાં ઉભું કરી દીધું ગાઢ જંગલ, વાવ્યા 16 હજાર વૃક્ષ
જામનગર, 28 ડિસેમ્બર (હિ.સ.) : કોઈ માણસના પર્યાવરણ પ્રેમને ઝનૂનનો સાથ મળે તો પરોપકારનું ભગીરથ કાર્ય થાય તેવુ જામનગર પંથકના વડીલે સાબિત કરી બતાવ્યું છે. વાત છે ખીમલીયા ગામ નજીક આવેલ બે ભાઈના ડુંગર નામની જગ્યાની. અહીં વિઠ્ઠલભાઈ નામના વડીલે પ્રકૃતિપ્રે
પ્રકૃતિ પ્રેમ


જામનગર, 28 ડિસેમ્બર (હિ.સ.) : કોઈ માણસના પર્યાવરણ પ્રેમને ઝનૂનનો સાથ મળે તો પરોપકારનું ભગીરથ કાર્ય થાય તેવુ જામનગર પંથકના વડીલે સાબિત કરી બતાવ્યું છે. વાત છે ખીમલીયા ગામ નજીક આવેલ બે ભાઈના ડુંગર નામની જગ્યાની. અહીં વિઠ્ઠલભાઈ નામના વડીલે પ્રકૃતિપ્રેમ થકી ઉજડ જગ્યામાં 16 હજાર જેટલા વૃક્ષ રોપી ગાઢ જંગલ ઉભું કરી દીધું છે. જેમાં આજે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે અને આ પ્રકૃતિપ્રેમીએ દેશભરના લોકોને અનોખી પ્રેરણા આપી છે.

જામનગરના અનોખા પર્યાવરણ પ્રેમીની કામગીરીને લોકો મુક્તમને બિરદાવી રહ્યા છે. જામનગર તાલુકાની ખીમલીયાની સીમમાં ઠેબા નજીક બે ભાઈના ડુંગર નામની જગ્યા આવેલી છે. જે છેલ્લા કેટલાક સમયથી પ્રવાસન સ્થળ તરીકે પ્રખ્યાત બની છે. આ જગ્યાને વિઠ્ઠલ સવજી મુંગરાએ જીવંત બનાવી છે. વિઠ્ઠલ સવજી મુંગરા છેલ્લા 18 વર્ષથી આ જગ્યાને પોતાની મહેનતથી વિકસીત કરી રહ્યા છે.

વિઠ્ઠલભાઈએ જણાવ્યું કે મને અલ્સરની બીમારી થઈ હતી. જેની ગંભીરતાને ધ્યાને લઈ તબીબોએ પણ બીમારીમાંથી બહાર આવવાની શકયતા નહીવત ગણાવી હતી. સાથે બીમારીના કારણે કામમાં પુરતો સમય ન આપી શકતા આર્થિક સંકળામણ પણ વધી હતી. ત્યારબાદ હતાશ થયેલા વડીલે પર્યાવરણની ખુલ્લી હવામાં વધુ સમય પસાર કરવાનું નક્કી કર્યું હતું. જે માટે ઠેબા નજીક આવેલા બે ભાઈના ડુંગરના નામથી જાણીતી જગ્યાએ જતા હતા. આ દરમિયાન તેમનો પર્યાવરણ પ્રેમ જાગ્યો હતો.

આ દરમિયાન વિઠ્ઠલભાઈ મુંગરાએ ઘણા દિવસો સુધી તેમણે ખોડીયાર માતાના મંદિરે સમય વિતાવ્યો હતો. બાદમાં મંદિર આસપાસ જંગલ જેવુ હોવાથી તેની સાફ સફાઈ કરી હતી. સાથે જ થોડા વૃક્ષોને વાવીને તેનો ઉછેર કર્યો હતો.

એટલું જ નહીં ચમત્કારની માફક પર્યાવરણ વચ્ચે રહેવાથી તેઓ બીમારીથી મુકત પણ થયા હતા. ત્યારબાદ તેમનું જીવન પરિવર્તન થયું હતું અને સ્વસ્થ થતા બાદ પોતાનુ જીવન વૃક્ષો માટે સમર્પિત કરવાનું શરૂ કર્યુ અને તેમણે બે ભાઈના ડુંગરની જગ્યાને હજારો વૃક્ષોનું જતન કરીને એક રમણીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવ્યુ છે.

હાલ વિઠ્ઠલભાઈ મુંગરા રોજ સવારથી લઈને સાંજ સુધી ભાઈના ડુંગરની જગ્યાને પસાર કરે છે અને 16000 વૃક્ષોનું જતન કરે છે, વૃક્ષની આસપાસ નીંદણ કરવું , વૃક્ષોને ઉધઈ ન ખાય તેમાટે ચૂનો લગાવવો, પાણી પાવું સહિતની કામગીરી કરીને દિવસ પસાર કરે છે. તેમજ વિઠ્ઠલભાઈ એ એમ પણ જણાવ્યું હતું કે જે દિવસે હું આ જગ્યા નથી આવતો ત્યારે મને આખો દિવસ ચેન પડતું નથી.

હાલ આ જગ્યાએ જામનગર સહિત આસપાસના લોકો આ જગ્યાનું મુલાકાત લેવા માટે આવે છે. તેમજ રવિ વાર અને તહેવારોના સમયમાં અહી ખુબજ મોટી સંખ્યા લોકો મુલાકાત લેવા માટે આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande