રેલવન એપ પર અનારક્ષિત ટિકિટ બુકિંગ પર 3% લાભની સુવિધા
ભાવનગર,30 ડિસેમ્બર (હિ.સ.) યાત્રીઓને ડિજિટલ માધ્યમો દ્વારા ટિકિટ બુકિંગ માટે પ્રોત્સાહિત કરવા હેતુથી રેલવે બોર્ડ દ્વારા રેલવન (RailOne) એપ મારફતે અનારક્ષિત ટિકિટ બુકિંગ પર 3% લાભ આપવા નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં રેલવન એપ પર આર-વૉલેટ (R-Wall
રેલવન એપ પર અનારક્ષિત ટિકિટ બુકિંગ


ભાવનગર,30 ડિસેમ્બર (હિ.સ.) યાત્રીઓને ડિજિટલ માધ્યમો દ્વારા ટિકિટ બુકિંગ માટે પ્રોત્સાહિત કરવા હેતુથી રેલવે બોર્ડ દ્વારા રેલવન (RailOne) એપ મારફતે અનારક્ષિત ટિકિટ બુકિંગ પર 3% લાભ આપવા નિર્ણય લેવામાં આવ્યો છે.

હાલમાં રેલવન એપ પર આર-વૉલેટ (R-Wallet) મારફતે અનારક્ષિત ટિકિટ બુક કરવાથી 3% બોનસ કેશબેકની સુવિધા ઉપલબ્ધ છે. હવે આ પહેલને આગળ વધારતા એવું નક્કી કરવામાં આવ્યું છે કે રેલવન એપ પર આર-વૉલેટ ઉપરાંત તમામ ડિજિટલ ચુકવણી માધ્યમો દ્વારા અનારક્ષિત ટિકિટ બુક કરવાથી યાત્રીઓને 3% છૂટ આપવામાં આવશે.

આર-વૉલેટ મારફતે અનારક્ષિત ટિકિટ બુકિંગની સ્થિતિમાં અગાઉની જેમ 3% બોનસ કેશબેકની સુવિધા યથાવત્ ચાલુ રહેશે.

આ 3% છૂટ/લાભની સુવિધા 14 જાન્યુઆરી, 2026 થી 14 જુલાઈ, 2026 સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન CRIS દ્વારા યોજનાના પ્રભાવ અંગેનો ફીડબેક મે મહિનામાં રેલવે બોર્ડને ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી આગળની સમીક્ષા કરી શકાય. આ નિર્ણય અનુસાર રેલવન એપમાં જરૂરી ટેકનિકલ ફેરફારો કરવામાં આવશે.

રેલવે બોર્ડની આ પહેલ યાત્રીઓને ડિજિટલ ચુકવણી અપનાવવા પ્રોત્સાહિત કરશે તેમજ ટિકિટ બુકિંગ પ્રક્રિયાને વધુ સુવિધાજનક બનાવશે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande