ગીર સોમનાથ 13 એપ્રિલ (હિ.સ.). પ્રાંચી તીર્થ ખાતે તા.18 / 4 / 25 ને શુક્રવાર ના રોજ શ્રી કોળી સમાજ ભવન વેરાવળ -કોડીનાર હાઈવે રોડ ઉપર વિના મૂલ્ય શ્રી સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ નિદાન કેમ્પ તથા હાર્ડવૈદ,જનરલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલ છે. જેમાં રણછોડદાસજી આંખની હોસ્પિટલ રાજકોટના સેવાભાવી ડોક્ટરો તથા સ્ટાફ પોતાનું યોગદાન આપશે. હાર્ડવૈદ પોતાની સેવાઓ આપશે આ વિનામુલ્યે સદ્દગુરૂ નેત્રયજ્ઞમાં આંખના રોગોનું નિદાન કરી જરૂરીયાતવાળા મોતીયાના દર્દીને રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલની બસમાં લઇ જઇ અન્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ ( નેત્રમણી ) સાથે વિનામુલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે. આ કેમ્પમાં દર્દીઓને કોઇ પ્રકારની તકલીફ ન પડે તે માટે રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ દ્વારા બધા જ પ્રકારની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આ કેમ્પના આંખના દર્દીઓને બહોળી સંખ્યામાં લાભ લેવા જાદવભાઇ ચુડાસમા પ્રાચી તીર્થ મો. ૯૯૭૮૫ ૨૩૧૮૨ માં સંપર્ક કરવા દર્દીને અનુરોધ કરાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ