ગુજરાત સરકારનો નિર્ણય: ઈલેક્ટ્રિક વાહનો પર હાલમાં અમલી ઉચ્ચક વાહન વેરાનો દર 6 ટકાથી ઘટાડીને માત્ર 1 ટકા કરાયો
ગાંધીનગર, 19 એપ્રિલ (હિ.સ.) : ગુજરાત સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પર્યાવરણના રક્ષણ માટે ગ્રીન ગ્રોથની સંકલ્પનાને સાકાર કરતો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં ઈલેક્ટ્રિક વાહનો પર હાલમાં 6 ટકા સુધીનો ઉચ્ચક વાહન વેરો અમલમાં છે.
ઇલેક્ટ્રિક વાહન


ગાંધીનગર, 19 એપ્રિલ (હિ.સ.) : ગુજરાત સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પર્યાવરણના રક્ષણ માટે ગ્રીન ગ્રોથની સંકલ્પનાને સાકાર કરતો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં ઈલેક્ટ્રિક વાહનો પર હાલમાં 6 ટકા સુધીનો ઉચ્ચક વાહન વેરો અમલમાં છે. સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક બેટરીથી સંચાલિત આવા વાહનો પર હવે આગામી તા. 31 માર્ચ, 2026 સુધી માત્ર 1 ટકા લેખે વેરાનો દર રાખવાનો રાજ્ય સરકારે પ્રજા અને પર્યાવરણ હિતલક્ષી નિર્ણય કર્યો છે.

આ સુધારા સાથે વેરાના દરમાં વધુ સરળીકરણ માટે મેક્સી કેટેગરીમાં પેસેન્જર વાહનની ક્ષમતા મુજબ હાલમાં અમલી 8 ટકા તથા 12 ટકાના દરને બદલે હવેથી એક જ દર એટલે કે, 6 ટકા દર નક્કી કરવામાં આવ્યો છે એમ, જેનાથી રાજ્યના પ્રવાસન ક્ષેત્રને ખૂબ જ વેગ મળશે.

ઇલેક્ટ્રિક વાહનોમાં વેરાનો દર ઘટાડવાથી રાજ્યના દરેક વર્ગના પરિવારોને તેનો સીધો લાભ થશે. આ ઉપરાંત પર્યાવરણ સંરક્ષણની દ્રષ્ટિએ પણ આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ પગલું પૂરવાર થશે. આ દર ઘટતા ઇલેક્ટ્રિક બેટરીથી સંચાલિત વાહનોનો વ્યાપ વધશે અને ગુજરાતને શાશ્વત વિકાસ તરફ આગળ વધવામાં તેમજ સર્ક્યુલર ઇકોનોમીને પણ પ્રોત્સાહન મળશે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande