ઉનાળા દરમિયાન કપાસમાં ગુલાબી ઇયળ, એટલે કે “પિંક બોલવોર્મ”થી પાકને બચાવવા માટે ખેડૂતોએ આટલા પગલા જરૂર લેવા
ગાંધીનગર, 19 એપ્રિલ (હિ.સ.) : ખરીફ સીઝન વર્ષ 2025માં કપાસના પાકની વાવણીને ધ્યાને રાખીને ખેતરમાં ગુલાબી ઇયળ એટલે કે, પિંક બોલવોર્મ નામની જીવાતથી કપાસને બચાવવા માટે કપાસનું વાવેતર કરવા ઈચ્છુક ખેડૂતોએ હાલ ઉનાળા દરમિયાન જ કેટલાક આગોતરા પગલા લેવા જરૂરી છે
ગુલાબી ઇયળ


ગાંધીનગર, 19 એપ્રિલ (હિ.સ.) : ખરીફ સીઝન વર્ષ 2025માં કપાસના પાકની વાવણીને ધ્યાને રાખીને ખેતરમાં ગુલાબી ઇયળ એટલે કે, પિંક બોલવોર્મ નામની જીવાતથી કપાસને બચાવવા માટે કપાસનું વાવેતર કરવા ઈચ્છુક ખેડૂતોએ હાલ ઉનાળા દરમિયાન જ કેટલાક આગોતરા પગલા લેવા જરૂરી છે.

ખેતી નિયામક કચેરી દ્વારા સૂચવાયેલા પગલા મુજબ,

• ખેડૂતોએ ખેતરમાં ઉનાળા દરમિયાન ઊંડી ખેડ કરવી જોઈએ, જેથી જમીનમાં અગાઉના કપાસના પાકના અવશેષોમાં રહેલી ગુલાબી ઇયળના કોશેટા સૂર્ય પ્રકાશની ગરમીથી તેમજ કુદરતી ભક્ષકો દ્વારા નાશ પામે.

• કપાસ પાકની વાવણી કરતાં પહેલાં જ ખેતરમાં રહેલા જૂના પાકના અવશેષોને વીણીને તેનો નાશ કરવો જોઈએ.

• કપાસના ખેતરની ફરતે આજુ-બાજુના વિસ્તારમાં પાકનો કચરો કરસાંઠી અથવા અવશેષોના ઢગલાં કરવાનું ટાળવું જોઈએ.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande