મોડાસા, 26 એપ્રિલ (હિ.સ.) અરજદારોને યોગ્ય માર્ગદર્શન આપી તેમના પ્રશ્નોના ઝડપી નિકાલ અંગે સંબંધિત અધિકારી।ઓને અનુરોધ કર્યો
સાબરકાંઠા જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી સભાખંડ ખાતે “જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. લોકશાહીને ધબકતી રાખી પ્રજાના કલ્યાણ માટે છેલ્લા ૨૦ વર્ષથી નિરંતર ચાલી આવતો ગુજરાત સરકારનો સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ લોકો માટે આધારસ્તંભ બની ગયો છે.આ કાર્યક્રમમાં જિલ્લાના નાગરીકોએ ૧૨ જેટલા પ્રશ્નો રજૂ કર્યા હતા.
આ કાર્યક્રમમાં ગૌચરની જમીનમાં દબાણ બાબત, ગામતળમાં પ્લોટ ફાળવણી, રોડ રસ્તા, સિંચાઇ ધોવાણ અટકાવવાના પ્રશ્નો, પાણીના નિકાલ સહિત વિવિધ વિષયો પર પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં કલેકટર એ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારોને યોગ્ય માર્ગદર્શન આપી તેમના પ્રશ્નોના ઝડપી નિકાલ આવે તે અંગે સંબંધિત અધિકારી ઓને અનુરોધ કર્યો હતો. વધુમાં કલેકટર એ વહીવટી તંત્રના તમામ અમલીકરણ અધિકારીઓને લોકોના પ્રશ્નોને શાંતિથી સાંભળી યોગ્ય ઉકેલ લાવવાની દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં અધિક કલેક્ટર રોહિત ડોડીયા ( આઇ.એ.એસ.), અધિક નિવાસી કલેક્ટર ક્રિષ્ના વાઘેલા, ડીવાયએસપી પ્રાંત ખેડબ્રહ્મા, આરોગ્ય અધિકારી તાલુકા વિકાસ અધિકારી ઓ તેમજ અન્ય અમલીકરણ અધિકારી ઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ