જૂનાગઢ 23 મે (હિ.સ.) કેશોદ: એરપોર્ટ ઓથોરિટી અને વહિવટી તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવા માટે શરૂ કરવામાં આવેલ કામગીરી થી આસપાસના કેશોદ શહેર અને દશેક ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો આસામીઓ ના પ્રશ્ર્નો સમસ્યાઓ રજુઆતો સાંભળવા માટે જાહેર લોક સુનાવણી કાર્યક્રમ કેશોદ નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ ટાઉનહોલ ખાતે રાખવામાં આવ્યો હતો. કેશોદના નાયબ કલેકટર કિશન ગરચર અને એરપોર્ટ ઓથોરિટી ના અધિકારીઓ ની ઉપસ્થિતિમાં પ્રોજેકટર ના માધ્યમથી કેશોદ એરપોર્ટ આંતરરાષ્ટ્રીય બનશે જેની ચિત્રણ સાથે માહિતી આપવામાં આવી હતી.
કેશોદ એરપોર્ટ નો નવો પ્લાન પ્રમાણે નવા એરપોર્ટ નો ૨૫૦૦ મીટર લાંબો નવો રનવે બનશે. જે એરબસ a૩૨૦ અને બોઇંગ ૭૩૭ જેવા મોટા વિમાનો લેન્ડ કરી શકશે. ૩ વિમાનો રહી શકે એવડું મોટો હેંગર હશે. નવું વહિવટી બિલ્ડિંગ પણ બનશે. આ એરપોર્ટ કુલ ૩૬૩ કરોડ રૂપિયા ના ખર્ચે બનશે. પેહલા ફેસ નુ કન્સ્ટ્રકશન માટે કુલ ૨૬ કંપની એ બિડ કરી છે. પેલા ફેસ માં કુલ ૧૬૧ કરોડ ખર્ચ થશે. કેશોદ એરપોર્ટ ઓથોરિટી અને વહિવટી તંત્ર દ્વારા સંપાદન કરવામાં આવેલ ખેડૂતો ની ખેતીની જમીન બાદ ઉદભવતાં પ્રશ્ર્નો સમસ્યાઓમાં વરસાદી પાણીના નિકાલ અને આવવા જવા માટે રસ્તાની રજુઆત મુખ્યત્વે કરવામાં આવી હતી જે બાબતે એરપોર્ટ ઓથોરિટી અને વહિવટી તંત્ર દ્વારા ખાત્રી આપવામાં આવી હતી કે વરસાદી પાણીના નિકાલ માટે નવ જેટલાં બોક્ષ કન્વર્ટ પુલ બનાવી પાણીના વહેણને રોકવામાં નહીં આવે અને આસપાસના ખેતરોમાં ધોવાણ ન થાય એની તકેદારી રાખવામાં આવશે ઉપરાંત રોડ રસ્તાની રજુઆત અંગે એરપોર્ટ ફરતે દિવાલને સમાંતર રોડ બનાવવામાં આવશે રોડનું કામ પૂરું થાય તે પહેલાં આ ચોમાસામાં મેટલ મોરમ નાંખીને કામચલાઉ વ્યવસ્થા કરવામાં આવશે.
એરપોર્ટ ઓથોરિટી અને વહિવટી તંત્ર દ્વારા યોજાયેલી જાહેર લોક સુનાવણી કાર્યક્રમમાં જનપ્રતિનિધિઓ કે પદાધિકારીઓ નજરે ચડયા નહોતાં કાર્યક્રમમાં અંતે પર્યાવરણ બચાવવા પ્લાસ્ટિક નો ઉપયોગ ટાળવા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ