માંડવી બાજવાડાની ચોરીનો ભેદ ઉકેલાયો: બે શખ્સ ઝડપાયા, 5.78 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરા, 1 જૂન (હિ.સ.)-શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આવેલમાં માંડવી બાજવાડાના બંધ મકાનમાં, તાળા તોડી ચોરી કરી રહ્યા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ ચોરીમાં માત્ર 1.96 લાખના સોનાના દાગીના અને ચાંદીના વાસણોની ચીલઝડપ થઈ હતી, પરંતુ તપાસ દરમિયાન પોલીસે
Arrest


વડોદરા, 1 જૂન (હિ.સ.)-શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આવેલમાં માંડવી બાજવાડાના બંધ મકાનમાં, તાળા તોડી ચોરી કરી રહ્યા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ ચોરીમાં માત્ર 1.96 લાખના સોનાના દાગીના અને ચાંદીના વાસણોની ચીલઝડપ થઈ હતી, પરંતુ તપાસ દરમિયાન પોલીસે 5.78 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

સયાજીપુરા વિસ્તારમાં રહેતી ભાવિકાબેન મીનું બીજુ ઘર માંડવી બાજવાડામાં આવેલ છે. તેમના બંધ મકાનનો તાળા તોડી ચોરોએ સાડા સાત તોલાના દાગીના અને ચાંદીના વાસણો ઉચક્યા હતા. આ બનાવની ફરિયાદ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ ડીસીબી દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.

તપાસમાં પીઆઈ આર.જી. જાડેજાની ટીમે કારેલીબાગ ચેપી રોગ હોસ્પિટલ નજીકથી મનસુખ દંતાણી અને આકાશ નગીનભાઈને પકડી પાડી. બંને અગાઉ પણ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે.

આ આરોપીઓ પાસેથી કુલ રૂ. 5.78 લાખનો મુદ્દામાલ કે જેમાં 4.58 લાખના દાગીના અને ચાંદીના વાસણોનો સમાવેશ થાય છે, કબજે કરવામાં આવ્યા છે. પોલીસ હવે વધુ કેસોમાં તેમનો સંપર્ક તપાસી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande