પોરબંદરમાં જગન્નાથજીના મંદિરે જલયાત્રા યોજાઈ
પોરબંદર, 11 જૂન (હિ.સ.) : પોરબંદર શહેરના સુદામા મંદિર નજીક અંદાજે 200 વર્ષ જુના જગન્નાથજીના મંદિરે જલયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથને 108 કુંભના પવિત્ર જળથી સ્નાન કરાવવામાં આવ્યું હતું. હિન્દૂ ધર્મમાં ભગવાન જગન્નાથની જલયાત્રાનું અ
પોરબંદરમાં જગન્નાથજીના મંદિરે જલયાત્રા યોજાઈ.


પોરબંદરમાં જગન્નાથજીના મંદિરે જલયાત્રા યોજાઈ.


પોરબંદર, 11 જૂન (હિ.સ.) : પોરબંદર શહેરના સુદામા મંદિર નજીક અંદાજે 200 વર્ષ જુના જગન્નાથજીના મંદિરે જલયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથને 108 કુંભના પવિત્ર જળથી સ્નાન કરાવવામાં આવ્યું હતું. હિન્દૂ ધર્મમાં ભગવાન જગન્નાથની જલયાત્રાનું અનેરું મહત્વ રહ્યું છે.

આજે ભગવાનને સ્નાન કરાવ્યા બાદ ભગવાન આજથી 15 દિવસ માટે મોસાળમાં જશે ત્યારબાદ 27 જૂન અષાઢી બીજના રોજ પરત ફરશે. આમ તો વિવિધ જગન્નાથજીના મંદિરોમાં રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. પોરબંદરમાં કોરોના પહેલા ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવતું હતું પરંતુ કોઈ કારણસર આ રથયાત્રાનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું છે. આ વર્ષે પણ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું નથી. જગન્નાથજીના મંદિર નજીક ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવશે અને ભક્તો માટે દર્શન ખુલ્લા રાખવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande