દાહોદ, 11 જૂન (હિ.સ.)
કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતા વિકસિત ભારતનો અમૃતકાળ સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ ની વિવિધ યોજનાઓ અને અવિરત વિકાસ અંગેની માહિતી આજે દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા ગુજરાત પ્રદેશના પૂર્વ મંત્રી રાજેશ પટેલની ઉપસ્થિતિમાં આપવામાં આવી હતી
સંકલ્પથી સિધ્ધિના ૧૧ વર્ષ પૂર્ણ થતા કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળ ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વિક્સિત ભારતના દ્રઢ સંકલ્પને આગલ વધારી રહ્યા છે. તેમજ સેવા, સુશાસન, ગરીબ કલ્યાણની યોજનાઓ અમલીકરણમાં મુકી જન-જન સુધી યોજનાઓનો વ્યાપ અને વિસ્તાર વધારી સાચા જનસેવક રૂપે લોકપ્રિય વડાપ્રધાન તરીકે ભારતના ગૌરવને વિશ્વફલક પર આરૂઢ કરી રહ્યા છે, ત્યારે સફળ નેતૃત્વના ૧૧ વર્ષના સરવૈયાની પ્રદર્શની તથા પ્રોફેશનલ મીટ બાદ એક પ્રેસવાર્તા નું આયોજન પ્રસંગ પાર્ટી પ્લોટ ગોવિંદનગર ખાતે કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે એક પ્રદર્ષની નું આયોજન કરવામાં આવ્યું હતું જયારે પ્રદર્શનીમાં કેન્દ્ર સરકારની 11 વર્ષમાં વિવિધ વિકાસ લક્ષી યોજનાઓ જેવીકે ૧૫૦.૭૩ કરોડના ખર્ચે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, 20 કરોડના ખર્ચે દાહોદ થી મધ્યપ્રદેશને જોડતો પુલ ટાંડા - ભવાની, 42 કરોડના ખર્ચે દાહોદ પરેલ L.C ગેટ નંબર ૪૪ પર ઓવરબ્રિજ, ૧૨૦૦ કરોડના ખર્ચે કડાણા થી ખેતી માટે સિંચાઈનું પાણી આપવાની યોજના, ૮૦૦ કરોડના ખર્ચે હાફેશ્વર થી પીવાના પાણીની યોજના, 52 કરોડના ખર્ચે દાહોદ શહેરમાં પાઇપલાઇન થી ઘરે ઘરે ગેસ આપવાની યોજના, સંકલ્પથી સિદ્ધિ તરફ માં ઉજ્વલા યોજના હેઠળ 10 કરોડથી વધુ રસોડા ધુમાડા મુક્ત થયા, ઉડાન યોજના અંતર્ગત 160 થી વધુ એરપોર્ટ, 23 AIIMS, ,1,92,496 મેડિકલ બેઠકો, 23 IITs, 21 IIMs તથા 1,213 વિશ્વ વિદ્યાલય, 11 વર્ષ પહેલાના સમયગાળામાં ગરીબો માટે કોઈ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા ન હતી જ્યારે હાલમાં આયુષ્યમાન ભારત અંતર્ગત અત્યાર સુધીમાં નવ કરોડથી વધુ લોકોને મળી મફત સારવાર, ભારતીય બંધારણની કલમ 370 અને 35A ને સમાપ્ત કરવામાં આવી, 2014 થી રક્ષા નીતિમાં 34 ગણો વધારો કરાયો, 11 વર્ષ પૂર્વે હેરિટેજમાં નામ માત્રનું રોકાણ હતું અને શ્રીરામ મંદિર સપનુંજ હતું જ્યારે હાલમાં પ્રશાદ યોજના થી રૂપિયા 1900 કરોડનું રોકાણ દ્વારા શ્રીરામ મંદિરનું ભવ્ય નિર્માણ સાંસ્કૃતિક ગૌરવ પુનર્જીવિત કર્યું, 111 જળમાર્ગોને રાષ્ટ્રીય જળમાર્ગ જાહેર કરવામાં આવ્યા આ તમામ યોજનાઓ અંગેની માહિતી આપતાં ક્ટઆઉટ પ્રદર્શનીમા લગાવવામાં આવ્યા હતા જયારે પ્રોફેશનલ મીટમા દાહોદ જિલ્લાના ડોક્ટર, વકીલ, CA, ઈજનેર,વેપારીઓ, ઉદ્યોગપતીઓ અને સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો અને પ્રેસ મીટમા મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Nehal Shah