ઉના-કોડિનાર હાઇવે પરના, ૨૦ સ્થાયી અને ૮ અસ્થાયી કબજા દૂર કરવામાં આવ્યા અવરોધો
અવરોધો દૂર થતાં હાઇવે નિર્માણની કામગીરી ઝડપી બનશે....
ઊના કોડીનાર હાઈવે


ગીર સોમનાથ, 11 જૂન (હિ.સ.) જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયની સૂચના અને માર્ગદર્શન મુજબ ઉના-કોડિનાર હાઇવે પરના ૨૦ સ્થાયી અને ૮ અસ્થાયી કબજા દૂર કરી રાષ્ટ્રીય હાઈવે રાજમાર્ગ પ્રાધિકરણ ()NHAI)ને કબજા સોંપવાની કામગીરી કરવામાં આવી હતી.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કામગીરીને કારણે જિલ્લામાંથી પસાર થતા હાઈવેના નિર્માણની કામગીરી વધુ ઝડપી બનશે.

આ ઉપરાંત, હાઈવે પર વધુ જગ્યા બનતાં માર્ગ અકસ્માતની સંખ્યામાં પણ ઘટાડો થશે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande