જૂનાગઢ, 11 જૂન (હિ.સ.) ૮૭- વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે તા.૧૯ જૂનના મતદાન થનાર છે, ત્યારે પેટા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદારોને જાગૃત કરવા માટે ખાસ મતદાન જાગૃતિ અભિયાન યોજવામાં આવી રહ્યું છે. મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત આજરોજ જૂનાગઢ ગ્રામ્ય તાલુકા ની શાળાઓમાં ૧૦૦૦ થી વધારે વિદ્યાર્થીનીઓ, શિક્ષકો, આચાર્ય દ્વારા ગ્રામજનોમાં મતદાન જાગૃતિ પ્રસરે તે હેતુથી મતદાન જાગૃતિ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. મતદાન જાગૃતિની આ ઝુંબેશમાં પ્રાથમિક શાળાના શિક્ષકોએ પણ ગ્રામજનોને અચૂક મતાધિકારના ઉપયોગ કરવા માટે પ્રેરિત કર્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ