ચાણસ્માના શેષનારાયણ મંદિરમાં 101 કિલો કેસર કેરીનો અનોખો મનોરથ
પાટણ, 11 જૂન (હિ.સ.) : ચાણસ્માના જૂના રબારીવાસ સ્થિત 1200 વર્ષ જૂના શેષનારાયણ ગોગા મહારાજના મંદિરમાં જેઠ સુદ પૂનમના દિવસે એક વિશેષ મનોરથ યોજાયો હતો. મંદિરના ભક્ત ભુવાજી મહેન્દ્રભાઈ અમથાભાઈ દેસાઈ પરિવારે ભગવાનને 101 કિલો કેસર કેરીનો મનોરથ ધરાવ્યો હતો
ચાણસ્માના શેષનારાયણ મંદિરમાં 101 કિલો કેસર કેરીનો અનોખો મનોરથ


પાટણ, 11 જૂન (હિ.સ.) : ચાણસ્માના જૂના રબારીવાસ સ્થિત 1200 વર્ષ જૂના શેષનારાયણ ગોગા મહારાજના મંદિરમાં જેઠ સુદ પૂનમના દિવસે એક વિશેષ મનોરથ યોજાયો હતો.

મંદિરના ભક્ત ભુવાજી મહેન્દ્રભાઈ અમથાભાઈ દેસાઈ પરિવારે ભગવાનને 101 કિલો કેસર કેરીનો મનોરથ ધરાવ્યો હતો. આ દરમ્યાન મંદિરના સુવર્ણ ગર્ભગૃહમાં કેરીની સુગંધ પ્રસરી ગઈ હતી અને મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.

ઉનાળા દરમ્યાન ભગવાનને વિવિધ ફળોથી મનોરથ કરાવવાની પરંપરા ભારતીય સંસ્કૃતિનો ભાગ છે. ગોગા મહારાજના આ અનોખા સ્વરૂપના દર્શન કરી ભક્તોએ શ્રદ્ધા, ભક્તિ અને પ્રકૃતિ સાથેના જોડાણની અનુભૂતિ કરી.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande