વેરાવળ અને ગીરગઢડામાં કુલ ૧૧૦૦ થી વધારે ખેડૂતોએ ખેતીલક્ષી માહિતી મેળવી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનના માધ્યમથી માહિતી પૂરી પાડતા તજજ્ઞો
ગીર સોમનાથ, 13 જૂન (હિ.સ.) પ્રિ-ખરીફ કેમ્પેઇન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનના પંદરમાં દિવસે કૃષિરથના માધ્યમથી ગીર ગઢડા અને વેરાવળ તાલુકાના ગામોમાં ખેડૂતોને ખેતીલક્ષી માહિતી પૂરી પાડવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લામાં વિકસિત
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને   ગીરગઢડામાં


ગીર સોમનાથ, 13 જૂન (હિ.સ.) પ્રિ-ખરીફ કેમ્પેઇન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનના પંદરમાં દિવસે કૃષિરથના માધ્યમથી ગીર ગઢડા અને વેરાવળ તાલુકાના ગામોમાં ખેડૂતોને ખેતીલક્ષી માહિતી પૂરી પાડવામાં આવી હતી.

ગીર સોમનાથ જિલ્લામાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન આગળ ધપી રહ્યું છે ત્યારે ગીરગઢડા તાલુકાના પીછવી, ઉમેદપરા અને ફાટસર તથા વેરાવળ તાલુકાના આણંદપરા, સુંદરપરા અને બોસન એમ કુલ ૬ ગામોમાં સેમિનારના માધ્યમથી ખેડૂતોને ખેતીલક્ષી માહિતી આપવામાં આવી હતી.

તજજ્ઞો દ્વારા ચોમાસું ઋતુ માટે ખેતી અને પશુપાલન વિષયક તેમજ સરકારની વિવિધ યોજનાઓ, પ્રાકૃતિક ખેતી અને ડ્રોન ટેક્નોલોજી વિશે પ્રત્યક્ષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આમ, કુલ ૬ ગામોમાં થઈને કુલ ૧૧૦૦ થી વધારે ખેડૂતો/ખેત મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા વિષય નિષ્ણાતો, કૃષિ યુનિવર્સિટી, આઈ.સી.એ.આર. ના વૈજ્ઞાનિકો, ખેતીવાડી, બાગાયત, અને આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર, ડેપ્યુટી ડાયરેક્ટર તથા અન્ય અધિકારીઓ, એફ.પી.ઑ અને ઈફકો કંપનીના પ્રતિનિધિઓ દ્વારા ખેતીલક્ષી પ્રવૃત્તિઓ વિશે માહિતગાર કરાયા હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande