ચોરવાડ ગામનાં વતની પ્રો. રમેશ મકવાણાની યુજીસી નવી દિલ્હી ખાતે ‘પીએચ.ડી. શ્રેષ્ઠતા પ્રશસ્તિપત્ર સમિતિ’માં સભ્યપદે નિમણુક
જૂનાગઢ 13 જૂન (હિ.સ.) પીએચ.ડી. ક્ષેત્રે શ્રેષ્ઠ સંશોધન થાય અને તે સંશોધનને રાષ્ટ્રીય સ્તરે પ્રશસ્તિપત્ર મળે તે માટે યુજીસી નવી દિલ્હી ના ચેરમેનને પીએચ.ડી. શ્રેષ્ઠતા પ્રશસ્તિપત્ર સમિતિનું ગઠન કર્યુ છે તે સમિતિમાં સમગ્ર ભારતમાંથી પાંચ સભ્યોની નિમણૂંક
ચોરવાડ ગામનાં વતની પ્રો. રમેશ મકવાણાની યુજીસી નવી દિલ્હી ખાતે ‘પીએચ.ડી. શ્રેષ્ઠતા પ્રશસ્તિપત્ર સમિતિ’માં સભ્યપદે નિમણુક


જૂનાગઢ 13 જૂન (હિ.સ.) પીએચ.ડી. ક્ષેત્રે શ્રેષ્ઠ સંશોધન થાય અને તે સંશોધનને રાષ્ટ્રીય સ્તરે પ્રશસ્તિપત્ર મળે તે માટે યુજીસી નવી દિલ્હી ના ચેરમેનને પીએચ.ડી. શ્રેષ્ઠતા પ્રશસ્તિપત્ર સમિતિનું ગઠન કર્યુ છે તે સમિતિમાં સમગ્ર ભારતમાંથી પાંચ સભ્યોની નિમણૂંક કરવામાં આવેલ છે. તેમાં સમાજવિજ્ઞાન વિષયની સમિતિમાં સરદાર પટેલ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના પ્રો. રમેશ મકવાણાની નિમણૂંક કરવામાં આવેલ છે.

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કૂલપતિશ્રી ડો.અતુલ એચ. બાપોદરાએ પ્રો.રમેશ મકવાણાની યુજી.સી નવી દિલ્હી ખાતે પીએચ.ડી. પ્રશસ્તીપત્ર સમિતીમાં સભ્યપદે નિયુક્તિ થવા બદલ અભિનંદન પાઠવતા જણાવ્યુ હતુ કે ભારતભરમાં સમાજવિજ્ઞાન વિષયમાં પીએચ.ડી.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સંશોધનમાં ઈનોવેશન અને ગુણવત્તાના આધારે તેમને પીએચ.ડી શ્રેષ્ઠતા પ્રશસ્તિપત્ર માટે પસંદગી કરવાની મૂલ્યવાન કામગીરી કરશે. આ પ્રશસ્તિપત્ર માટે પસંદ થયેલ સંશોધકોનું દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરે યુજીસી દિલ્હી મુકામે સન્માન કરી અને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવશે. જે પીએચ.ડી સંશોધકો માટે રાષ્ટ્રીય સ્તરે ગૌરવપૂર્ણ બાબત બની રહેશે.

ભારત વિશ્વ સ્તરે ઇનોવેશન અને સંશોધન ક્ષેત્રે નવું જ્ઞાન પ્રાપ્ત કરી મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે માટે ગુણવતાસભર પીએચ.ડી. ક્ષેત્રે શ્રેષ્ઠ સંશોધન થાય અને તે સંશોધનને રાષ્ટ્રીય સ્તરે પ્રશસ્તિપત્ર મળે તે માટે યુજીસી નવી દિલ્હીના ચેરમેને ‘પીએચ.ડી. શ્રેષ્ઠતા પ્રશસ્તિપત્ર સમિતિ’નું ગઠન કર્યું છે તે સમિતિમાં સમગ્ર ભારતમાંથી પાંચ સભ્યોની નિમણુંક કરવામાં આવેલ છે. તેમાં સમાજવિજ્ઞાન વિષયની સમિતિમાં ચોરવાડ ના પ્રો. રમેશ મકવાણાની નિમણુંક કરવામાં આવેલ છે. તેઓ હાલ સરદાર પટેલ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં કાર્યરત છે.

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં સમાજશાસ્ત્ર વિભાગનાં વડા ડો. જયસિંહ ઝાલાએ પ્રો. રમેશ મકવાણાની નિયુક્તિને શુભેચ્છા પાઠવતા જણાવ્યુ હતુ કે પ્રો.રમેશ મકવાણા હાલ ભારત સરકારના આદિવાસી નીતિ આયોગમાં વિષય નિષ્ણાંત તરીકે, બાબુ જગજીવન રામ નેશનલ ફાઉન્ડેશન, સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગ, ભારત સરકારમાં સભ્ય તરીકે તથા નેશનલ એજ્યુકેશન નીતિ,યુજીસી દિલ્લીમાં સભ્ય છે.

તેઓ ભારતીય સમાજશાસ્ત્રીય પરિષદના મેનેજમેન્ટ બોર્ડમાં ચુંટાયેલા સભ્ય તરીકે કાર્ય કરી રહ્યા છે. પ્રો.રમેશ મકવાણાને ડો. બાબાસાહેબ આંબેડકર એવોર્ડ અને રૂપિયા એક લાખ રૂપિયા ગુજરાત સરકાર તરફથી એનાયત થયેલ છે. તેમના ૩૦ પુસ્તકો અને ૬૫ શોધ લેખો પ્રકાશિત થયેલ છે. ૧૦૫ સંશોધન પેપરો કોન્ફરન્સોમાં રજૂ કરેલ છે.૧૨૫ ચાવીરૂપ વ્યાખ્યાન સમગ્ર ભારતની વિવિધ કોલેજો અને યુનિવર્સિટી ઓમાં આપેલ છે.૬ સંશોધન પ્રોજેકટ યુજીસી અંતર્ગત પૂર્ણ કર્યા છે. તેમના માર્ગદર્શનમાં ૪૫ વિદ્યાર્થીઓ પીએચ.ડી. થયા છે. તેઓને દિલ્હીથી ભારત શિક્ષા રત્ન એવાર્ડ, સરદાર પટેલ એવાર્ડ, યુવા સમાજશાસ્ત્રી એવાર્ડ અને સમાજ વૈજ્ઞાનિક એવાર્ડથી સન્માનીત કરેલ છે. તેઓ અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સભ્યપદ બજાવે છે.

પ્રો. રમેશ મકવાણાની યુજીસી નવી દિલ્હી ખાતે ‘પીએચ.ડી. શ્રેષ્ઠતા પ્રશસ્તિપત્ર સમિતિ’માં સભ્યપદે નિમણુક થવાથી સરદાર પટેલ યુનિવર્સિટી સાથે ભગીની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી (BKNMU),નું રાષ્ટ્રીય સ્તરે ગૌરવ વધ્યું છે. માટે પ્રો. રમેશ મકવાણાને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કૂલસચિવ ડો. મયંક સોની અને અધ્યાપકગણ તેમજ યુનિ. પરિવાર દ્વારા અભિનંદન અને શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande