અમદાવાદ, 13 જૂન (હિ.સ.)-સુરેન્દ્રનગર જિલ્લાની ધ્રાંગધ્રા તાલુકાની ધ્રમઠ ચોકડી નજીક મધ્યરાત્રે ST બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. કચ્છના માતાના મઢથી અમદાવાદ જઈ રહી હતી ત્યારે બસ ટ્રક પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં કુલ 18 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે જેમાં 7ની હાલત ગંભીર હોવાથી તેમને સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.
અપઘાતમાં ઈજા પામેલા મુસાફરોમાં મુન્દ્રા, દાહોદ, અંજાર, ગાંધીધામ, અમદાવાદ અને રાજસ્થાનના રહીશોનો સમાવેશ થાય છે. તમામને 108 એમ્બ્યુલન્સ મારફતે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસએ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિકને નિયંત્રિત કર્યો અને વધુ તપાસ શરૂ કરી છે. હાલમાં સુધી કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત નથી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે