પાટણ, 17 જૂન (હિ.સ.)પાટણ શહેરના આશિષ વિદ્યાલય ખાતે બલોચ સમાજ દ્વારા શૈક્ષણિક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને મૌન પાળી શ્રદ્ધાંજલિ આપીને કરવામાં આવી.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે બલોચ મકરાણી સમાજના ડી.વાય.એસ.પી. મુસ્તુફાખાએ શિક્ષણના મહત્ત્વ અંગે વિસ્તૃત રીતે વાત કરી હતી. સમાજના પ્રમુખ અને ગીર સોમનાથના નિવૃત્ત મામલતદાર જહાંગીરખાએ સમાજમાં એકતા, સંગઠન અને વ્યસનમુક્તિ વિશે માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન કુલ ૩૨૧ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાંથી ૩૧ હાફિઝ-આલિમને એક જોડી કપડાં અને સન્માનપત્ર આપવામાં આવ્યું હતું. ઉદ્યોગપતિ જહાંગીરખાન બલોચ અને જોરવરખાન બલોચ તરફથી હાફિઝ-આલિમને રૂ. ૩૧,૦૦૦ નો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. અન્ય વિદ્યાર્થીઓને ઘડિયાળ, નોટબુક, પેન, પાટી, મેડલ, ટ્રોફી અને કિતાબો મૂકવા માટે બેગ આપવામાં આવી હતી.
આ સમારોહ પાટણ શહેર બલોચ સમાજના પ્રમુખ હસનખાન શેરખાન બલોચ, ઉપપ્રમુખ હૈદરખાન બલોચ અને તેમની કરોબારી ટીમના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. કાર્યક્રમનું સંચાલન ગુલાબખાન બલોચ ૧૦૮ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવામાં ન્યાલખાન બલોચ, રહીમખાન બલોચ, હુસેનખાન એડવોકેટ, મહેબુબખાન ખજાનચી, યુસુફખાન શેરખાન, કમાલખાન બલોચ, મુરાદખાન બલોચ, કરીમખાન બલોચ, સુલતાનખાન બલોચ, પીરખાન બલોચ તેમજ સિદ્ધપુર નગરપાલિકાની કોર્પોરેટર મહેરૂનિશા એમ. બલોચે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર