મોડાસા, 17 જૂન (હિ.સ.) ભિલોડા તાલુકાના નાની બેબાર ગામના રહેવાસી પ્રિન્કલબેન કિરીટભાઈ તબિયાદ તેમને પ્રસૂતિ નો દુઃખાવો ઉપાડતા એમને 108 માં કોલ કરો હતો ત્યારે આ કોલ શામળાજી 108 એમ્બ્યુલન્સ ને આ કોલ મળો હતો ત્યારે થોડીક વાર મા એમ્બ્યુલન્સ ત્યાં પોંહચી.ઈ એમ ટી સંજય પટેલ એ ચેક કરતા માલુમ પડ્યું કે પ્રિન્કલબેન ને જોખમી પ્રસુતિ છે તો પ્રિન્કલબેન ને હિંમતનગર સિવિલ લઈ જવાની ફરજ પડી હતી પરંતુ પ્રિન્કલબેન ને રસ્તામાં પ્રસુતિ નો દુખાવો વધારે ઉપડતા જોખમી ડિલિવરી પિંકલબેનને હિંમતનગર સિવિલ લઈ જતા હતા ત્યારે 108 માં પ્રસુતિનો દુખાવો વધારે ઉપાડતા 108 એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવાની ફરજ પડી હતી.
ઈએમટી સંજય પટેલ અને પાયલોટ મહેન્દ્રસિંહ પરમાર ના સહયોગ થી પોતાની કુશળતા અને અનુભવ તથા અમદાવાદ ના ડોક્ટર નો સલાહ મુજબ સફળતાપૂર્વક મહિલાને એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવી હતી મહિલાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો અને તેની આગળની સારવાર માટે હિંમતનગર સિવિલ ખસેડાયા હતા. હાલ માતા અને બાળક બંને સ્વસ્થ છે પ્રિન્કલબેનના પરિવારે 108 શામળાજી સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ