કોડીનાર રાષ્ટ્રીય યોગ દિવસ 2025ની ઉજવણીમાં જીવનદીપ ટ્રસ્ટના દિવ્યાંગ બાળકોની ગૌરવસભર હાજરી
ગીર સોમનાથ 21 જૂન (હિ.સ.) કોડીનાર સ્થિત જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, જે દિવ્યાંગ બાળકો માટે કાર્યરત સંસ્થા છે, તેના બાળકો અને ટીમે રાષ્ટ્રીય યોગ દિવસ - 2025 નિમિત્તે ભવ્ય દેશવ્યાપી કાર્યક્રમમાં ભાગ લઈ અનોખી ઉપસ્થિતિ નોંધાવી છે. આ ઉજ
દિવ્યાંગ બાળકોની ગૌરવસભર હાજરી


ગીર સોમનાથ 21 જૂન (હિ.સ.) કોડીનાર સ્થિત જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, જે દિવ્યાંગ બાળકો માટે કાર્યરત સંસ્થા છે, તેના બાળકો અને ટીમે રાષ્ટ્રીય યોગ દિવસ - 2025 નિમિત્તે ભવ્ય દેશવ્યાપી કાર્યક્રમમાં ભાગ લઈ અનોખી ઉપસ્થિતિ નોંધાવી છે.

આ ઉજવણીનો મુખ્ય કાર્યક્રમ ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય અંતર્ગત કાર્યરત દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ ના નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ એમપાવરમેન્ટ ઓફ પર્સન્સ વીથ ઇન્ટલએકચુઅલ ડિસેબિલીટી (NIEPID) સિકંદરાબાદ દ્વારા કાન્હા ઇન્સ્ટિટયૂટ, ચેન્ગુર ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે માનનીય મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમાર સાહેબે અધ્યક્ષતા આપી હતી અને મુખ્ય સચિવ શ્રી રાજેશ અગ્રવાલ તથા વિવિધ રાષ્ટ્રીય સંસ્થાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ યોગ ફોર સેલ્ફ એન્ડ સોસાયટી આધારે યોજાયો હતો, જેમાં તમામ ઉપસ્થિતોએ પોર્ટલ અનુસાર નિર્ધારિત યોગ અભ્યાસ કર્યો અને યોગના માધ્યમથી તંદુરસ્ત જીવનશૈલી અને વૈશ્વિક સમરસતાનું મહત્વ ઉજાગર કરાયું.

આ કાર્યક્રમ એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામેલ છે, જેમાં દેશભરમાંથી 21 વિવિધ પ્રકારના દિવ્યાંગતાવાળા 3400થી વધુ વ્યક્તિઓએ એક સાથે યોગ અભ્યાસ કર્યો હતો – જેના ભાગીદાર બનવાથી જીવનદીપ ટ્રસ્ટને ગર્વની અનુભૂતિ થઈ છે.

આ પ્રસંગે પોતાનાં પ્રેરણાદાયક સંબોધનમાં માનનીય મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે યોગ માત્ર શારીરિક કસરત નહીં, પરંતુ જીવન જીવવાની એક કલાનું નામ છે. 'વસુધૈવ કુટુંબકમ્'ની ભાવનાને આત્મસાત કરીને આપણે યોગને માનવ કલ્યાણ અને વૈશ્વિક સમરસતાના સાધન તરીકે અપનાવું જોઈએ.

રાષ્ટ્રીય સ્તરે ભાગ લેનાર બાળકો ઉપરાંત જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, કોડીનાર ખાતે પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકો, તેમના વાલીઓ તેમજ સ્વયંસેવકોે યોગાભ્યાસ કર્યો.

યોગ શિબિરનું માર્ગદર્શન ડૉ. નિકુંજભાઈ ચુડાસમા દ્વારા આપવામાં આવ્યું હતું, જેના દ્વારા યોગના વિવિધ આસનો બાળકો માટે સરળ અને અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યા. યોગ દિવસની ઉજવણી દ્વારા જીવનદીપ ટ્રસ્ટે ન ફક્ત તંદુરસ્ત જીવન તરફનું સશક્ત પગલુ ભર્યું, પરંતુ દિવ્યાંગજનોમાં આત્મવિશ્વાસ, સામૂહિક શક્તિ અને સ્વીકાર્યતાનો ભાવ પણ ઊંડો કર્યો – જે યોગ ફોર સેલ્ફ એન્ડ સોસાયટી થીમનું સાચું પ્રતિબિંબ છે.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે આરીફભાઈ ચાવડા, ડૉ. ભરતભાઈ રાઠોડ, ડૉ. નિકુંજભાઈ ચુડાસમા, તનિવીરભાઈ ચાવડા, રાકેશભાઈ બેરડીયા, અમીતાબેન ચાવડા, નાઝીમાબેન જુણેજા, ભાવનાબેન રાઠોડ સહિતના તમામ સહકર્મચારીઓએ નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી.

યોગ માત્ર શારીરિક કસરત નહીં, પરંતુ જીવન જીવવાની એક કલાનું નામ છે. 'વસુધૈવ કુટુંબકમ્'ની ભાવનાને આત્મસાત કરીને આપણે યોગને માનવ કલ્યાણ અને વૈશ્વિક સમરસતાના સાધન તરીકે અપનાવું જોઈએ. તેમ સંસ્થાની યાદીમાં જણાવવામાં આવ્યું છે

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande