સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમૂહ યોગ સાધના, “શાંતિ કા સૂત્ર યોગથી જીવન” થીમ હેઠળ ઉજવણી
સુરત, 21 જૂન (હિ.સ.)- સુરત શહેરમાં 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક યોજાઈ હતી. આ અનુસંધાનમાં અડાજણ સ્થિત બદ્રીનારાયણ મંદિરના પરિસરમાં વિશિષ્ટ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ૐ શિવ યોગ પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમ
Yoga


સુરત, 21 જૂન (હિ.સ.)- સુરત શહેરમાં 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક યોજાઈ હતી. આ અનુસંધાનમાં અડાજણ સ્થિત બદ્રીનારાયણ મંદિરના પરિસરમાં વિશિષ્ટ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ૐ શિવ યોગ પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં નગરજનોની વિશાળ સંખ્યાએ ઉપસ્થિતિ નોંધાવી હતી.

આવર્તિત થીમ “શાંતિ કા સૂત્ર યોગથી જીવન” અંતર્ગત યોગ દ્વારા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વસ્થતાને ઉજાગર કરતો સંદેશ આપવામાં આવ્યો. કાર્યક્રમ દરમિયાન વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની ટેક્નિક્સનું માર્ગદર્શન આપવામાં આવ્યું.

આ કાર્યક્રમ યોગ વિશે જાગૃતિ ફેલાવવા અને નિયમિત યોગાભ્યાસ દ્વારા જીવનશૈલીમાં સંતુલન લાવવાનો સંદેશ આપતો લોકપ્રિય પ્રયાસ સાબિત થયો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande