પોરબંદર, 21 જૂન (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોગ વિદ્યા વિશ્વ ફલક પહોંચી છે ત્યારે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત પોરબંદર જિલ્લામાં વિવિધ ગામના અમૃત સરોવરો પર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જિલ્લામાં આવેલામાલણકા,
ફરેર, હેલાબેલી, દોલતગઢ, ખીસ્ત્રી, એરડા, રીણાવાડા, બરડિયા, સુખપુર સહિતનાં ગામોના આવેલા અમૃત સરોવર ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નાગરિકો સહભાગી થયા હતા અને યોગ અભ્યાસ અને યોગની જાણકારી આપવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya