મોડાસા, 21 જૂન (હિ.સ.) સમગ્ર વિશ્વમાં ૨૧મી જૂનના દિવસને યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યોગને રોજિંદી જીવન શૈલીનો ભાગ બનાવીને નિયમિત યોગ દ્વારા નિરોગી જીવન જીવી શકાય છે. આથી વિશ્વ યોગ દિવસની ઉજવણી થકી લોકોને યોગ પ્રત્યે જાગૃત કરવામાં આવે છે.
સાબરકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી હસ્તકની શાળાઓમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. જિલ્લાની શાળાઓમાં અનેકવિધ કાર્યક્રમો થકી વિદ્યાર્થીઓને યોગ અપનાવવા અને યોગના લાભો સંદર્ભે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
વિવિધ શાળાઓમાં યોજાયેલી નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, યોગ જાગૃતિ રેલી શિક્ષકો અને વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિવિધ શાળાઓમાં બાળકોને યોગ આસનો પ્રસ્તુત કર્યા હતા તથા વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓને વિવિધ યોગ આસનો શીખવવામાં આવ્યા હતા.
'યોગ ભગાડે રોગ'ના સૂત્ર સાથે વિવિધ ગામોમાં વિદ્યાર્થીઓએ યોગના ફાયદાઓ સંબંધિત બેનરો અને સૂત્રોચ્ચારો દ્વારા ગ્રામજનોને યોગ અપનાવવા અનુરોધ કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ