સુરત, 21 જૂન (હિ.સ.)- સુરતના સરથાણા વિસ્તારમાં રવિવારે એક દુઃખદ માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં રત્નકલાકારી સાથે સંકળાયેલા યુવાન રાજેશ ઉકાણીનો ભોગ લેવાયો હતો. અકસ્માત સરથાણા જકાતનાકા પાસે અતિથિ રેસ્ટોરન્ટ સામે થયો હતો, જ્યાં કાર ચાલકે તેમને બાઈક પર ઉભા હોઈ વખતે અડફેટે લીધા હતા.
માહિતી અનુસાર, રાજેશ ઉકાણી નિર્મળ નગર ખાતે મંડળના ફંડ ભરવા જતા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. તેમને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમ્યાન તેમનું અવસાન થયું હતું.
ઘટનાની નજીકના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો અને કારચાલકને ઝડપી લેવામાં આવ્યો છે. સરથાણા પોલીસે બનાવસ્થળે ‘રી-કન્સ્ટ્રક્શન’ કરીને ટેક્નિકલ પુરાવાઓ એકત્ર કર્યા છે અને આગળની તપાસ ચાલુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે