સુરત, 25 જૂન (હિ.સ.)- સુરત શહેર સહિત જિલ્લામાં ઉપરવાસમાં પડેલા ભારે
વરસાદના પગલે ખાડીપૂરની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે વરાછા-એ ઝોન વિસ્તારનું
સણીયા-હેમાદ ગામ સંપર્ક વિહોણું બનતા મહાનગરપાલિકાના આરોગ્ય અને ફાયર વિભાગ દ્વારા
તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મનપાના આરોગ્ય અને ફાયર વિભાગ
દ્વારા ગ્રામજનોને પાણીની બોટલો, દવાઓ, ફૂડ પેકેટ, 200થી વધુ દૂધની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ફાયર વિભાગની ટીમે સણીયા-હેમાદ
ગામની સગર્ભા મહિલાનું રેસ્ક્યૂ કર્યું હતું. સાથે ગામના એક પરિવારના બે બાળકો
સહિત માતા-પિતાને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. બોટ સાથે ફાયર ઓફિસર સહિત
ફાયરમેન બચાવ કામગીરીમાં જોડાયા હતા. આ ઉપરાંત ગામમાં રહેતા પોલીસકર્મીઓને પણ
સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરાયા હતા. હાલ સ્થિતિ પર નિયમિત દેખરેખ રાખવા ફાયર, આરોગ્ય સહિત
પોલીસની ટીમો ખડેપગે હતી, અને તંત્રની વધુ ટીમો સહાયરૂપ થવા માટે સ્ટેન્ડબાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે