ગીર સોમનાથ, 12 જુલાઈ (હિ.સ.) જૂનાગઢ, નાગરિકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જૂનાગઢ જિલ્લામાં તા.૨૪ જુલાઈ, ૨૦૨૫ ગુરુવારના સવારે ૧૧ કલાકે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા મથકે યોજાશે, જિલ્લા કલેક્ટર અને સંબંધિત ખાતાના અધિકારીશ્રીઓ આ પ્રશ્નો સાંભળશે. તા.૨૩જુલાઈ, ૨૦૨૫ બુધવારના રોજ સવારે ૧૧ કલાકે દરેક તાલુકા મથકે ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે, જેમાં સંબંધિત અધિકારીઓ તાલુકા મથકે ઉપસ્થિત રહેશે.
જિલ્લા કક્ષાએ નિકાલ કરવા પાત્ર હોય તેવા પ્રશ્નો કલેકટર કચેરી જૂનાગઢ અને તાલુકા તથા ગ્રામ્ય કક્ષાએ નિકાલ કરવા પાત્ર હોય, તેવા પ્રશ્નો અરજદાર તાલુકા મામલતદાર કચેરી અને ગ્રામ પંચાયત કચેરીને દર મહિનાની તારીખ ૧૦ સુધીમાં સીધા રજૂ કરી શકાશે.
નાગરિકોએ જિલ્લા સ્વાગતમાં ઓનલાઇન અરજી અંગ્રેજી માસની તા.૧૦ તારીખ સુધીમાં કરવી. નાગરિકોએ પ્રશ્નો, રજૂઆતો, ફરિયાદો સાથે જરુરી વિગતો અને પુરાવાઓ સાથે રજૂ કરવા. જે પ્રશ્ન, રજૂઆતનો નિકાલ તાલુકાકક્ષાએ થતો હોય તે અરજી તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમ માટે કરવી. તાલુકા કક્ષાએ જે અરજીઓનો નિકાલ ન થયો હોય તેવી અરજીઓનો જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં સમાવેશ થશે. એક જ સમયે અનેક વિષયોને લગતી રજૂઆત કરવી નહિ. અરજદારે HTTP://SWAGAT.GUJARAT.GOV.IN/CITIZEN_ENTRY_DS.ASPX?FRM=WS પર ઓનલાઇન અરજી કરવી, તેમ જૂનાગઢ જિલ્લા નિવાસી અધિક કલેક્ટરએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ