ગીર સોમનાથ 12 જુલાઈ (હિ.સ.) : હિરણ નદીના નવા પૂલથી સોમનાથ જતા રસ્તા ઉપર ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યો છે, વાહનો માટે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. માનવ માટે જીવનના જોખમો સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે આવતા દેશ વિદેશના યાત્રિકો પ્રવાસીઓ અને રાહદારીઓ પરેશાન થયા છે અને એકસીડન્ટનો ભય જોવા મળી રહ્યો છે.
સોમનાથ મંદિરે આવતા યાત્રિકોમાં પણ આવા ખાડાથી એક્સિડન્ટનો ભય રહે છે. લોકોની માંગ છે કે તાત્કાલિક ખાડા બૂરાય અને રોડ રસ્તાઓ રિપેર થાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ