નવી દિલ્હી, 14 જુલાઈ (હિ.સ.) કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ
મંત્રી નીતિન ગડકરીએ કર્ણાટકના શિવમોગા જિલ્લામાં વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન
સમારોહમાં આમંત્રણ ન મળવાના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના આરોપોનો યોગ્ય જવાબ આપ્યો
છે. તેમણે કહ્યું કે,” કાર્યક્રમ માટે બે આમંત્રણ પત્રો 11 અને 12 જુલાઈના રોજ
મુખ્યમંત્રીને મોકલવામાં આવ્યા હતા. એક પત્ર કાર્યક્રમની અધ્યક્ષતા માટે અને બીજો
વર્ચ્યુઅલી જોડાવા માટે હતો.
ગડકરીએ 11 અને 12 જુલાઈના રોજ એક્સના રોજ મોકલવામાં આવેલા
આમંત્રણ પત્રો શેર કર્યા. તેમણે લખ્યું કે,” કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને
11 જુલાઈ, 2025ના રોજ
કાર્યક્રમની અધ્યક્ષતા માટે સત્તાવાર આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. કોઈપણ સંભવિત
કાર્યક્રમ સંબંધિત પડકારોને ધ્યાનમાં રાખીને, 12 જુલાઈના રોજ, બીજો પત્ર મોકલવામાં આવ્યો હતો જેમાં તેમને
વર્ચ્યુઅલી હાજરી આપવા વિનંતી કરવામાં આવી હતી.”
ગડકરીએ સોમવારે શિવમોગાના, નેહરુ મેદાનમાં આયોજિત એક
કાર્યક્રમમાં સિગંદુર પુલનું ઉદ્ઘાટન કર્યું. કાર્યક્રમ વિશે પત્રકારો સાથે વાત
કરતા મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આરોપ લગાવ્યો હતો કે તેમને આ કાર્યક્રમમાં આમંત્રણ
આપવામાં આવ્યું નથી. સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે,” તેમણે ગડકરીને ફોન કરીને
કાર્યક્રમ મુલતવી રાખવા વિનંતી કરી હતી.” ગડકરીએ કહ્યું હતું કે,” તેઓ તેને મુલતવી
રાખશે, પરંતુ હવે તેઓ
સ્થાનિક ભાજપ નેતાઓના દબાણ હેઠળ કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે.”
સિદ્ધારમૈયાએ આરોપ લગાવ્યો હતો કે,” તેમને આ કાર્યક્રમ માટે
કોઈ આમંત્રણ મળ્યું નથી. અમે હંમેશા રેલ્વે પ્રોજેક્ટ્સમાં સહયોગ કરીએ છીએ. તેઓ
અમને આ કાર્યક્રમો માટે આમંત્રણ આપે છે, પરંતુ અહીં પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
વિરોધમાં, અમારામાંથી કોઈએ
કાર્યક્રમમાં ભાગ લીધો ન હતો.”
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ