ભાવનગર રેલવે બોર્ડે ગુજરાતમાં સરાડીયા-વાંસજાળિયા નવી લાઇનના અંતિમ સ્થાન સર્વેને મંજૂરી આપી
ભાવનગર 16 જુલાઈ (હિ.સ.) : ગુજરાતને રેલ મંત્રાલયે મોટી ભેટ આપી છે. રેલવે બોર્ડે પશ્ચિમ રેલવે ઝોન હેઠળ ગુજરાત રાજ્યમાં સરાડીયા-વાંસજાળિયા નવી લાઇન માટે ફાઇનલ લોકેશન સર્વે (FLS) ને મંજૂરી આપી છે. ભારત સરકારના શ્રમ, રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી ડ
સરાડીયા-વાંસજાળિયા નવી લાઇનના


ભાવનગર 16 જુલાઈ (હિ.સ.) : ગુજરાતને રેલ મંત્રાલયે મોટી ભેટ આપી છે. રેલવે બોર્ડે પશ્ચિમ રેલવે ઝોન હેઠળ ગુજરાત રાજ્યમાં સરાડીયા-વાંસજાળિયા નવી લાઇન માટે ફાઇનલ લોકેશન સર્વે (FLS) ને મંજૂરી આપી છે. ભારત સરકારના શ્રમ, રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાજીના પ્રયાસોને કારણે સરડીયા-વાંસજાલિયા નવી લાઇનના અંતિમ સ્થાન સર્વેને મંજૂરી આપવામાં આવી છે.

સરાડીયા-વાંસજાળિયા વચ્ચેની લાઇન 45 કિમી લાંબી છે. આ લાઇન શરુ થવાથી ગુજરાતના સૌરાષ્ટ્રના દૂરના વિસ્તારોમાં ઔદ્યોગિક, સામાજિક અને આર્થિક વિકાસ થશે. આ વિસ્તાર ભારતીય રેલવેના મુખ્ય પ્રવાહ સાથે જોડાશે, જેનાથી અહીંના લોકોને રેલવે દ્વારા દેશના અન્ય વિસ્તારોમાં મુસાફરી કરવાની સુવિધા મળશે. સોમનાથ-દ્વારકા-ઓખા-પોરબંદરને જોડતો એક વધારાનો અને ટૂંકો માર્ગ ઉપલબ્ધ થશે. આ લાઇન ગિરનાર, સોમનાથ અને દ્વારકા જેવા તીર્થસ્થળો માટે વધારાનો માર્ગ પૂરો પાડશે. આ લાઇન ભારતીય રેલવેના સિદ્ધાંતોને અનુરૂપ સમાવિષ્ટ વિકાસને પ્રોત્સાહન આપશે.

સરાડીયા ગામ ગુજરાતના જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં આવેલું છે. વાંસજાળિયા રેલવે સ્ટેશન ગુજરાત રાજ્યના જામનગર જિલ્લામાં આવેલું એક રેલવે સ્ટેશન છે. તે પોરબંદરથી 34 કિમી દૂર છે. પેસેન્જર અને એક્સપ્રેસ ટ્રેનો અહીં રોકાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande