ગીર સોમનાથ, 2 જુલાઈ (હિ.સ.) 'સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ''ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ''તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ'' દર માસના ચોથા બુધવારે યોજવાનું સૂચન કર્યું છે.
જે અનુસાર ગીર સોમનાથ જિલ્લામાં તાલુકા કક્ષાનો ''તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ'', તાલુકાકક્ષાના પ્રશ્નો બાબતે મામલતદાર કચેરી ખાતે આગામી તારીખ ૨૩/૦૭/૨૦૨૫ ના રોજ સવારના ૧૧:૦૦ કલાકે યોજાશે.
જે પ્રશ્ન, રજૂઆતનો નિકાલ તાલુકા કક્ષાએ થતો હોય, તે અરજી તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમ માટે કરવી. જેમાં લાયઝન અધિકારી તેમજ મામલતદાર સંબંધિત ખાતાના અધિકારીઓ અરજદારઓને સાંભળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ