ઉનામાં ખાતરની અછત, એક આધારકાર્ડ પર બે થેલી ખાતર અપાતા ખેડૂતોની સવારથી જ ખાતરના ડેપો અને જંતુનાશક દવાની દુકાનો પર લાંબી કતારો લાગી..
ગીર સોમનાથ 22 જુલાઈ (હિ.સ.) ઉના અને ગીર ગઢડા વિસ્તારમાં ખેડૂતોને ખાતરની તીવ્ર અછતનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતો સવારથી જ ખાતરના ડેપો અને જંતુનાશક દવાની દુકાનો પર લાંબી કતારોમાં ઊભા રહે છે. વર્તમાન સ્થિતિ મુજબ, એક આધારકાર્ડ પર માત્ર બે થેલી ખાતર
ખેડૂતોને ખાતરની તીવ્ર અછતનો


ગીર સોમનાથ 22 જુલાઈ (હિ.સ.) ઉના અને ગીર ગઢડા વિસ્તારમાં ખેડૂતોને ખાતરની તીવ્ર અછતનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતો સવારથી જ ખાતરના ડેપો અને જંતુનાશક દવાની દુકાનો પર લાંબી કતારોમાં ઊભા રહે છે.

વર્તમાન સ્થિતિ મુજબ, એક આધારકાર્ડ પર માત્ર બે થેલી ખાતર ફાળવવામાં આવી રહ્યું છે. આ માત્રા ખેડૂતોની વાસ્તવિક જરૂરિયાત કરતાં ઘણી ઓછી છે. મોટાભાગના ખેડૂતોને 10 થેલી ખાતરની જરૂર છે, પરંતુ તેમને માત્ર બે થેલી જ મળી રહી છે. પરિસ્થિતિ વધુ ગંભીર એટલા માટે બની છે કે વિસ્તારમાં નહિવત વરસાદ થયો છે. ખેડૂતોને પાક માટે યુરિયા ખાતરની તાત્કાલિક જરૂરિયાત છે. પૂરતું ખાતર ન મળવાથી પાકને નુકસાન થવાની ચિંતા સતાવી રહી છે. ખેડૂતો સરકારની નીતિઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. દર સિઝનમાં ખાતરની અછત સર્જાય છે. આ સમસ્યાનું કાયમી સમાધાન લાવવાની માંગ ઊઠી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે આ પરિસ્થિતિ તેમની આર્થિક સ્થિતિ પર પણ વિપરીત અસર કરી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande