પોરબંદર, 3 જુલાઈ (હિ.સ.)લોકોના પ્રશ્નો વહિવટી તંત્ર દ્રારા ઝડપી નિકાલ થાય તે માટે મુખ્યમંત્રીનો અભિગમ છે. અને જિલ્લા સ્વાગત કાર્યક્રમ દ૨ માસના ચોથા ગુરૂવારે જિલ્લા કક્ષાએ યોજવામાં આવે છે. જે પોરબંદર જિલ્લાનો આગામી ફરીયાદ નિવારણ સ્વાગત કાર્યક્રમ જુલાઈ-2025 માસના ચોથા ગુરૂવારે તા.24/07/2025ના રોજ 11.00 કલાકે કલેક્ટર કચેરી ખાતે યોજવામાં આવશે.
આ ફરીયાદ નિવારણ સ્વાગત કાર્યક્રમમાં પોરબંદર જિલ્લા નાગરિકોએ પોતાના કોઈ પણ ખાતા કે વિભાગને લગતા કોઈપણ પ્રશ્નો કે ફરીયાદ જેવી કે લાંબા સમયથી આખરી નિકાલ આવતો ન હોય તેવા અનિર્ણિત પડતર પ્રશ્નો મોકલવા,અગાઉ સંબંધિત ખાતામાં કરેલ રજુઆતનો આધાર રજૂ ક૨વો તથા તેમના તરફથી આપવામાં આવેલ જવાબ કે પ્રત્યુતરની નકલ જોડવી અને અગાઉ રજૂ કરેલ પ્રશ્ન બીજી વખત રજૂ કરવામાં આવે તો પ્રશ્ન ક્રમાંક તથા માસનું નામ અવશ્ય લખવું
અરજદારે પ્રશ્ન કે અરજીમાં પ્રશ્નકર્તાનું પુરૂ નામ પુરેપુરૂં સ૨નામું ફોન નંબ૨ ફરજીયાત લખવો તથા પ્રશ્ન કે અરજીમાં અરજદારની સહી કરવી તેમજ સહી વગરની અરજી ધ્યાને લેવામાં આવશે નહીં અને અરજદાર દ્વારા રજૂ થતી અરજી પોતાના પ્રશ્નની જ સ્પષ્ટ અને મુદાસર સમજી શકાય તેવા આઘારા પુરાવા સાથે હોવા જરૂરી છે. અલગ-અલગ વિષય દર્શાવતા પ્રશ્નો અલગ-અલગ અરજીમાં મોકલવાના રહેશે.
આ કાર્યક્રમમાં અરજદાર પોતાના પ્રશ્નની જાતે આધાર પુરાવા સાથે રજૂઆત કરી શકશે તેમજ સરકારી કર્મચારીના નોકરીને લગતા પ્રશ્નો અને કોર્ટમાં ચાલતા પ્રશ્નો રજૂ કરી શકશે નહી.તા.10/07/2025 સુધીમાં કલેક્ટર કચેરી પોરબંદર ખાતે પ્રશ્નો મોકલવાનાં રહેશે. તેમજ સ્વાગત પોર્ટલ પર તારીખ 1 થી 10 તારીખમાં ઓનલાઈન અરજી મારફત પણ પ્રશ્નો મોકલી શકશે.આ કાર્યક્રમની વધુ વિગત માટે જિલ્લા સેવા સદન-1 કલેક્ટર કચેરી પોરબંદરનો સંપર્ક ક૨વા વિનંતી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya