એ.પી.એમ.સી ખાતે ડુંગળીનું વેચાણ કરતા ખેડૂતો માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ, તા. ૧૫/૦૭/૨૫ સુધી આઇ-ખેડુત પોર્ટલ અરજી કરી શકાશે
જૂનાગઢ, 4 જુલાઈ (હિ.સ.) ડુંગળી પકવતા તથા એ.પી.એમ.સી ખાતે ડુંગળીનું વેચાણ કરતા ખેડૂતો માટે તા.૦૧/૦૭/૨૫ થી ૧૫/૦૭/૨૫ સુધી ઓનલાઈન અરજી કરવા પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યુ છે. જેમા લાભાર્થી દીઠ અથવા ખાતા દીઠ મહત્તમ ૨૫૦ ક્વિન્ટલ ની મર્યાદામાં તથા વધુમાં વધુ
એ.પી.એમ.સી ખાતે ડુંગળીનું વેચાણ કરતા ખેડૂતો માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ, તા. ૧૫/૦૭/૨૫ સુધી આઇ-ખેડુત પોર્ટલ અરજી કરી શકાશે


જૂનાગઢ, 4 જુલાઈ (હિ.સ.) ડુંગળી પકવતા તથા એ.પી.એમ.સી ખાતે ડુંગળીનું વેચાણ કરતા ખેડૂતો માટે તા.૦૧/૦૭/૨૫ થી ૧૫/૦૭/૨૫ સુધી ઓનલાઈન અરજી કરવા પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યુ છે. જેમા લાભાર્થી દીઠ અથવા ખાતા દીઠ મહત્તમ ૨૫૦ ક્વિન્ટલ ની મર્યાદામાં તથા વધુમાં વધુ ૫૦,૦૦૦/- ની સહાય મળવાપાત્ર રહેશે.

બજારમાં ડુંગળીના ભાવ ઓછા હોવાથી ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા હેતુસર ખેડૂતોને માકેટ ઇન્ટરવેન્સન સ્કીમ (MIS) હેઠળ Price Deficiency payment યોજના અંતર્ગત એ.પી.એમ.સી.માં ડુંગળી વેચનારા ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ રૂ.૨૦૦/- અને ખેડૂત દીઠ ૨૫૦ ક્વિન્ટલની મર્યાદા માં સહાય મળવાપાત્ર છે.

આ યોજનાની સહાયનો લાભ લેવા માટે તા. ૦૧/૦૪/૨૦૨૫ થી તા.૩૧/૦૫/૨૦૨૫ ના સમયગાળામા પોતાના ખેતરમાથી ઉત્પાદિત ડુંગળી એ.પી.એમ.સીમાં જ વેચાણ કરેલ હશે તેવા ખેડૂતોને જ મળવાપાત્ર રહેશે. અરજદારે આઇ ખેડૂત પોર્ટલ(https://ikhedut.gujarat.gov.in/) પર તા.૦૧/૦૭/૨૦૨૫ થી તા.૧૫/૦૭/૨૦૨૫ સુધીમાં અરજી કરવાની રહેશે. અરજદારે આઇ ખેડૂત પોર્ટલ પર કરેલ અરજીની પ્રિંન્ટ કાઢી સહી કરી અરજીમાં દર્શાવેલ સાધનિક કાગળો સહિત જિલ્લાની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી ખાતે અરજી પહોંચાડવાની રહેશે. તેમજ વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી,સરદાર બાગ પાસે,નીલમબાગ,લઘુકૃષિભવન જૂનાગઢ (ફોન નં:-૦૨૮૫- ૨૬૩૫૦૧૯), જૂનાગઢ ખાતે રૂબરૂ અથવા ટેલીફોનીક સંપર્ક કરવા એક અબખારી યાદીમાં જણાવવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande