જૂનાગઢ જિલ્લામાં મકાન,ઔદ્યોગિક એકમ, ઓફિસ, દુકાન ,ગોડાઉન જાણ કર્યા સિવાય કોઈને ભાડે આપી શકાશે નહીં
Gujarat, 5 જુલાઈ (હિ.સ.) જૂનાગઢ જીલ્લો દરિયા કિનારો ધરાવે છે. જિલ્લામાં પવિત્ર યાત્રાધામ ગિરનાર આવેલ છે. આ સિવાય જિલ્લામાં પ્રવાસ-પર્યટનના તથા ઘણા ધાર્મિક સ્થળો આવેલા છે. જ્યાં વિશાળ પ્રમાણમાં દેશ-વિદેશના પ્રવાસીઓ, યાત્રાળુ આવે છે. આ જ રીતે જૂનાગઢ જ
જૂનાગઢ જિલ્લામાં મકાન,ઔદ્યોગિક એકમ, ઓફિસ, દુકાન ,ગોડાઉન જાણ કર્યા સિવાય કોઈને ભાડે આપી શકાશે નહીં


Gujarat, 5 જુલાઈ (હિ.સ.)

જૂનાગઢ જીલ્લો દરિયા કિનારો ધરાવે છે. જિલ્લામાં પવિત્ર યાત્રાધામ ગિરનાર આવેલ છે. આ સિવાય જિલ્લામાં પ્રવાસ-પર્યટનના તથા ઘણા ધાર્મિક સ્થળો આવેલા છે. જ્યાં વિશાળ પ્રમાણમાં દેશ-વિદેશના પ્રવાસીઓ, યાત્રાળુ આવે છે. આ જ રીતે જૂનાગઢ જિલ્લામાં આવેલા ઔદ્યોગિક એકમોમાં પરપ્રાંતના માણસો કામધંધા અર્થે આવે છે. આવા સંજોગોમાં ત્રાસવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ કોઈ વ્યક્તિ સ્થાનીકે ભાડેથી મકાન કે અન્ય એકમ લઈ સ્થાનિક માણસો સાથે ભળી જઈ બદ ઈરાદો પાર ન પાડે તે માટે જાહેર જનતાની સલામતી તથા સુરક્ષા માટે તકેદારીની પગલા આવશ્યક જણાય છે. જે અન્વયે જૂનાગઢ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.પટેલ દ્વારા તેમને મળેલ સત્તાની રૂ એ એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામાં મુજબ જૂનાગઢ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઈ મકાન માલિક અગર તો આ માટે આવા મકાન માલિકે ખાસ સત્તા આપેલ વ્યક્તિ જ્યારે મકાન,ઔદ્યોગિક એકમ, ઓફિસ, દુકાન, ગોડાઉન, કોલ્ડસ્ટોરેજ ભાડે આપે ત્યારે સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કોઈ વ્યક્તિને ભાડેથી આપી શકશે નહીં. ભાડે આપેલ મકાન કે અન્ય એકમની વિગત ભાડુઆત અને સંબંધિત દલાલ કે જેઓએ ભાડુઆત અને સંબંધિત દલાલ કે જેઓએ ભાડુઆતની આળખાણ આપેલ હોય તે અંગેની જરૂરી માહિતી નજીકના પોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશે.

આ જાહેરનામાનો તાત્કાલિક અસરથી તા.૧૭/૦૮/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાના ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ ૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande