પોરબંદરમાં માર્ગ સલામતી બાબતે ચોપાટી ખાતે પ્રદર્શન ખુલ્લું મુકાયું
પોરબંદર, 17 જાન્યુઆરી (હિ.સ.) : પોરબંદર પોલીસ અને જેસીઆઇ સંસ્થા દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે ચોપાટી ખાતે પોલિસ અધિક્ષક બી.યુ.જાડેજાના હસ્તે માર્ગ સલામતી માટે તસ્વીર પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું હતું. સડકની જા
માર્ગ સલામતી બાબતે ચોપાટી ખાતે પ્રદર્શન ખુલ્લું મુકાયું.


માર્ગ સલામતી બાબતે ચોપાટી ખાતે પ્રદર્શન ખુલ્લું મુકાયું.


માર્ગ સલામતી બાબતે ચોપાટી ખાતે પ્રદર્શન ખુલ્લું મુકાયું.


માર્ગ સલામતી બાબતે ચોપાટી ખાતે પ્રદર્શન ખુલ્લું મુકાયું.


પોરબંદર, 17 જાન્યુઆરી (હિ.સ.) : પોરબંદર પોલીસ અને જેસીઆઇ સંસ્થા દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે ચોપાટી ખાતે પોલિસ અધિક્ષક બી.યુ.જાડેજાના હસ્તે માર્ગ સલામતી માટે તસ્વીર પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

સડકની જાળ એ દેશની પ્રગતિનું મહત્વનું અંગ છે, પરંતુ અત્યારે આ સડકો ઉપર થઇ રહેલા માર્ગ અકસ્માતો એટલો જ ચિંતાનો વિષય બની ગયા છે. આથી આ માર્ગ અકસ્માતો નિવારવા માટે લોક જાગૃતિ લાવવા એક મહિના સુધી સમગ્ર રાજ્યની સાથે પોરબંદર પોલીસ અને જેસીઆઈ પોરબંદર દ્વારા માર્ગ સલામતી માસ નિમિત્તે વિવિધ સંસ્થાઓ સાથે મળીને લોક જાગૃતિના જુદા જુદા કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત માર્ગ સલામતી બાબતે લોકોમાં જાગૃતિ લાવવા અકસ્માતોની તસવીરોનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે.

જાણીતા લેખક અને ટ્રેનર ડો. અજયસિંહ જાડેજાએ રોડ સેફટી બાબતે જુદી જુદી જગ્યાએ થયેલા માર્ગ અકસ્માતોના ફોટોગ્રાફનું કલેક્શન કરીને લોક જાગૃતિ લાવવા મુહિમ ચલાવી રહ્યા છે. તેમણે લીધેલા માર્ગ અકસ્માતના તમામ ફોટોગ્રાફનું ચોપાટી ખાતે તા. 30 જાન્યુઆરી સુધી તસ્વીર પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું છે. સવારથી સાંજ સુધી આ પ્રદર્શન નિહાળવા માટે જાહેર જનતાને પણ અપીલ કરવામાં આવી છે.

આ તસ્વીર પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા, રોડ સેફટી ટ્રેનર ડો. અજયસિંહ જાડેજા, ટ્રાફિક પીઆઇ મિલન આહીર, પીએસઆઇ કે.બી.ચૌહાણ, પીએસઆઇ કે.એન.અઘેરા, જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયા, પ્રમુખ પ્રતીક લાખાણી, સેક્રેટરી વિવેક લાખાણી, કેતન પટેલ, વરુણ લાખાણી, અક્ષય રાયચુરા, મિલન રાઠોડ તથા ટ્રાફિક પોલીસના જવાનો અને પોલીટેક્નિક કોલેજના પ્રોફેસર મોનીકાબેન વાળા અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન બિરાજ કોટેચાએ કર્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande