પોરબંદર પોલીસ અને જેસીઆઈ દ્વારા માર્ગ સલામતી માસનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો.
પોરબંદર, 02 જાન્યુઆરી (હિ.સ.) સમગ્ર રાજ્યમાં ગુજરાત પોલીસ દ્વારા .1લી જાન્યુઆરી થી 31 જાન્યુઆરી 2026 સુધી માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે પોરબંદર જિલ્લામાં પણ પોલીસ હેડક્વાર્ટર ખાતે જેસીઆઈ પોરબંદર અને પોરબંદર પોલીસના સંયુક્ત ઉપક્
પોરબંદર પોલીસ અને જેસીઆઈ દ્વારા માર્ગ સલામતી માસનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો.


પોરબંદર પોલીસ અને જેસીઆઈ દ્વારા માર્ગ સલામતી માસનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો.


પોરબંદર પોલીસ અને જેસીઆઈ દ્વારા માર્ગ સલામતી માસનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો.


પોરબંદર, 02 જાન્યુઆરી (હિ.સ.) સમગ્ર રાજ્યમાં ગુજરાત પોલીસ દ્વારા .1લી જાન્યુઆરી થી 31 જાન્યુઆરી 2026 સુધી માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે પોરબંદર જિલ્લામાં પણ પોલીસ હેડક્વાર્ટર ખાતે જેસીઆઈ પોરબંદર અને પોરબંદર પોલીસના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી માસની ઉજવણીનો ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો.

પોરબંદર પોલીસ અને જેસીઆઈ દ્વારા સતત એક મહિના સુધી જુદા જુદા કાર્યક્રમોના માધ્યમથી રોડ સેફટી મંથ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટ્રાફિક જાગૃતિના સેમિનાર અને કાર્યક્રમો, રસ્તામાં અકસ્માત થાય ત્યારે જરૂરી પ્રાથમિક સારવારની તાલીમો, એસ.ટી, ઓટો અને સરકારી વાહનોના ડ્રાઇવરોના આંખ ચેકઅપ કેમ્પો, જનજાગૃતિ રેલી, બેનર અને પત્રિકા વિતરણ, વાહનોમાં રીફલેક્ટરો લગાવવા, શાળા કોલેજોના વિદ્યાર્થીઓને રોડ સેફટી અંગે માર્ગદર્શન સહિતના કાર્યક્રમો યોજી ટ્રાફિક જાગૃતિ લાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવશે. આ માસ દરમિયાનના કાર્યક્રમોમાં પોરબંદરની દરેક સામાજિક સંસ્થાઓ અને જ્ઞાતિ સમાજોને પણ જાગૃતિ અભિયાનમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

ઉદ્ઘાટન સમારોહના અંતે પોલીસ વાહનો અને બાઇકમાં પોલીસ જવાનો શૂસજ્જ થઈ શહેરના મુખ્ય માર્ગો ઉપર રેલી યોજી જુદા જુદા સ્લોગનો વાળા બેનરના માધ્યમથી માર્ગ સલામતી માસની ઉજવણી અને ટ્રાફિક જાગૃતિનો સંદેશો આપ્યો હતો.

માર્ગ સલામતી માસની ઉજવણીના ઉદ્ઘાટન સમારોહમાં જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. કલેકટર એસ.ડી.ધાનાણી, મ્યુનિસિપલ કમિશનર એચ.જે.પ્રજાપતિ, નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા વગેરે અધિકારીઓએ પ્રાસંગિક પ્રવચનોમાં રોડ સેફટી બાબતે લોકજાગૃતિ લાવવા અપીલ કરી હતી. આ પ્રસંગે ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના અનિલ કારીયા, પદુભાઈ રાયચુરા સહિત વિવિધ સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો ઉપસ્થિત રહી આ કાર્યક્રમમાં સાથે જોડાઈને સૌની માર્ગ સલામતી માટેના પોલીસના પ્રયાસને સફળ બનાવવા સહકાર આપવા અપીલ કરી હતી. કારણ કે ટ્રાફિક અને રોડ સેફટીના પ્રશ્નોનું પોલિસ અને જનતાના સહિયારા પ્રયાસોથી નિરાકરણ આવશે. લોકો ટ્રાફીકના નિયમોને દિલથી પાલન કરશે તો જ આપણે માર્ગ સલામતી માસની ઉજવણી કરી સાર્થક ગણાશે કેમ કે દરેક જગ્યાએ કાયદાથી કામ લેવું શક્ય નથી. ટ્રાફિક અને રોડ સેફટી એ ફરજના ભાગરૂપે અને આપણા પોતાની સલામતી માટે જાતે જ પાલન કરીશું તો જ આવા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાશે.

આ ઉદ્ઘાટન સમારોહ કાર્યક્રમમાં સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો, જુદીજુદી જ્ઞાતિઓના આગેવાનો, પોલીસ અધિકારી અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આજે મિલન પાણખાણીયાએ કર્યું હતું. આભારવિધિ ટ્રાફિક પીઆઇ એમ.એલ.આહિરે કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ટ્રાફિક પીઆઇ એમ.એલ.આહીર, પીએસઆઇ કે.બી.ચૌહાણ, પીએસઆઇ કે.એન.અઘેરા અને ટ્રાફિક પોલીસની ટિમ તથા જેસીઆઈ પોરબંદરના પ્રમુખ પ્રતિક લાખાણી અને જેસીઆઇના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande