


પોરબંદર, 21 જાન્યુઆરી (હિ.સ.)રાષ્ટ્રીય માર્ગ સલામતિ માસ ઉજવણી અંતર્ગત પોલીસ ઈન્સ્પેકટર એમ.એલ આહિર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એન. અઘેરા તેમજ પોરબંદર ટ્રાફિક શાખાની ટીમ દ્વારા પોરબંદર શહેરમાં પોરબંદર-માધવપુર હાઇવે પર ટ્રાફીક અવરનેસ કરવામાં આવી
હતી જેમાં શેઠ એન.ડી. આર હાઈ સ્કુલ માધવપુરના વિધાર્થીઓને ટ્રાફિકના નિયમોની વિગત વાર જાણકારી, માર્ગ સલામતિ જોખમાય નહિ તે માટે દરેક વ્યક્તિએ વાહન ચલાવતી વખતે રોગ સાઈડમાં વાહન ન ચલાવવું, વાહન હંમેશા ધીમે ચલાવવું જોઈએ, વાહન ની ઓવર ટેક કરતી વખતે કાળજી
રાખવી જોઈએ, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોન નો ઉપયોગ ન કરવો જોઈએ વિગેરે માહિતી આપી તેમજ રાહવીર યોજના બાબતે જાણકારી આપી જરૂરી કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવેલ અને અન્ય લોકોને પણ આ નિયમો ની જાણકારી આપી જન જાગૃતિ લાવવા માટે અપીલ કરવામાં આવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya