ભાવનગર મંડળના કર્મચારીઓએ દર્શાવી ઈમાનદારી : ટ્રેનમાં ભૂલાયેલ મહિલા મુસાફરનો આઈફોન સુરક્ષિત પરત આપ્યો”
ભાવનગર, 12 માર્ચ (હિ.સ.) પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના કર્મચારીઓએ પોતાની ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાનો ઉત્તમ પરિચય આપતાં ટ્રેનમાં ભૂલાયેલ મુસાફરનો મોબાઈલ ફોન સુરક્ષિત રીતે પરત આપી પ્રશંસનીય ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય
ભાવનગર મંડળના કર્મચારીઓએ દર્શાવી ઈમાનદારી


ભાવનગર, 12 માર્ચ (હિ.સ.) પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના કર્મચારીઓએ પોતાની ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાનો ઉત્તમ પરિચય આપતાં ટ્રેનમાં ભૂલાયેલ મુસાફરનો મોબાઈલ ફોન સુરક્ષિત રીતે પરત આપી પ્રશંસનીય ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે તા. 10 માર્ચ 2026ના રોજ ગાડી નંબર 22963 બાંદ્રા–ભાવનગર સાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસના કોચ નંબર B5માં મુસાફરી કરતી સુરેખાબેન (ઉંમર 67 વર્ષ) પોતાનો આઈફોન ટ્રેનમાં જ ભૂલી ગઈ હતી.

આ મોબાઈલ ફોન ટ્રેનમાં ફરજ પર રહેલા લિનેન સુપરવાઈઝર શૈલેશ બારિયાને મળ્યો હતો. તેમણે પોતાની ઈમાનદારી દર્શાવતા મોબાઈલને સુરક્ષિત રાખ્યો. ત્યારબાદ તા. 11 માર્ચ 2026 (બુધવાર)ના રોજ ગાડી નંબર 12972 ભાવનગર–બાંદ્રા એક્સપ્રેસમાં ટ્રેન કેપ્ટન વિજય કુમાર પંડ્યા (CTI, BVC)ની હાજરીમાં તે મોબાઈલ ફોન સંબંધિત મુસાફરને સુરક્ષિત રીતે પરત આપવામાં આવ્યો.

આ સરાહનીય કાર્ય બદલ મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ સંબંધિત કર્મચારીઓની ઈમાનદારીની પ્રશંસા કરતાં તેમને ભવિષ્યમાં પણ આવી જ ઉત્તમ સેવા આપતા રહેવા માટે પ્રોત્સાહિત કર્યા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande