
સોમનાથ 28 માર્ચ (હિ.સ.) સોમનાથ મંદિર ખાતે ટ્રસ્ટના માન. ટ્રસ્ટી પ્રવિણભાઇ લહેરીના ૮૨ʼ માં જન્મદિને સોમનાથ મહાદેવ ને વિશેષ મહાપૂજન, આયુષ્ય મંત્રજાપ કરવામાં આવેલ. ઓનલાઇન મહાપૂજામાં લહેરી સાહેબની વર્ચુઅલ ઉપસ્થિતી રહેલી. આજરોજ સાંજે ભગવાન સોમનાથ મહાદેવ ને સાયં વિશેષ શૃંગાર સાથે દિપમાલા કરવામાં આવનાર છે.
માન.ટ્રસ્ટી પ્રવિણભાઇ લહેરીના નિરામય-દિર્ઘાયુષ્ય માટે સોમનાથ ટ્રસ્ટ પરિવાર દ્વારા સોમનાથ મહાદેવને પ્રાર્થના કરવામાં આવેલ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ