વિસનગરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ: 20,000 શ્રદ્ધાળુઓ માટે દેશી ચૂલા પર મહાપ્રસાદ
મહેસાણા, 28 માર્ચ (હિ.સ.) વિસનગર શહેરના પીંડારીયા તળાવ ખાતે યોજાયેલા વસંતા બાવાજીના નૂતન સમાધિ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભક્તિ સાથે પરંપરાગત રસોડું વિશેષ આકર્ષણ બન્યું છે. ત્રિદિવસીય આ મહોત્સવ દરમિયાન અંદાજે 20,000 જેટલા શ્રદ્ધાળુઓ મહાપ્રસ
વિસનગરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ: 20,000 શ્રદ્ધાળુઓ માટે દેશી ચૂલા પર મહાપ્રસાદ


મહેસાણા, 28 માર્ચ (હિ.સ.) વિસનગર શહેરના પીંડારીયા તળાવ ખાતે યોજાયેલા વસંતા બાવાજીના નૂતન સમાધિ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભક્તિ સાથે પરંપરાગત રસોડું વિશેષ આકર્ષણ બન્યું છે. ત્રિદિવસીય આ મહોત્સવ દરમિયાન અંદાજે 20,000 જેટલા શ્રદ્ધાળુઓ મહાપ્રસાદ ગ્રહણ કરશે.

આ વિશાળ સંખ્યામાં ભક્તો માટે ભોજન તૈયાર કરવા આયોજકો દ્વારા પરંપરાગત પદ્ધતિ અપનાવી 10 મોટા દેશી ચૂલા બનાવવામાં આવ્યા છે. આ ચૂલાઓ પર સતત 3 દિવસ સુધી રસોઈ બનાવવામાં આવશે. ભોજન તૈયાર કરવા માટે અંદાજે 100 મણ લાકડાની વ્યવસ્થા કરવામાં આવી છે.

આયોજકોના જણાવ્યા મુજબ, ગેસના વધતા ભાવ અને ઉપલબ્ધતાની સમસ્યાને ધ્યાનમાં રાખીને આ વ્યવહારુ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ લાકડાના ચૂલા પર ધીમા તાપે બનતી રસોઈ વધુ સ્વાદિષ્ટ, સુગંધિત અને શુદ્ધ હોવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.

આ હાઈટેક યુગમાં પણ પરંપરાગત રીતને જીવંત રાખવાનો આ પ્રયાસ શ્રદ્ધાળુઓમાં ખાસ આકર્ષણ જગાવી રહ્યો છે. મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતાં ધાર્મિક માહોલ સર્જાયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande