છઠીયારડા પ્રાથમિક શાળામાં તિથિ ભોજનનું આયોજન, વિદ્યાર્થીઓને કરાયું ભોજન
મહેસાણા, 17 એપ્રિલ (હિ.સ.) મહેસાણા તાલુકાના છઠીયારડા ગામ સ્થિત પ્રાથમિક કુમાર શાળામાં સ્વર્ગસ્થ ભગવતીબેન પરસોતમભાઈ પટેલના સ્મરણાર્થે તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ તેમજ આંગણવાડીના નાના બાળકોને પ્રેમપૂર્વક ભોજન
છઠીયારડા પ્રાથમિક શાળામાં તિથિ ભોજનનું આયોજન, વિદ્યાર્થીઓને કરાયું ભોજન


મહેસાણા, 17 એપ્રિલ (હિ.સ.) મહેસાણા તાલુકાના છઠીયારડા ગામ સ્થિત પ્રાથમિક કુમાર શાળામાં સ્વર્ગસ્થ ભગવતીબેન પરસોતમભાઈ પટેલના સ્મરણાર્થે તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ તેમજ આંગણવાડીના નાના બાળકોને પ્રેમપૂર્વક ભોજન કરાવવામાં આવ્યું હતું.

આ સેવાકીય કાર્યમાં દાતા તરીકે આશાબેન અને આશિષભાઈ પરસોતમભાઈ પટેલ તથા તેમના પરિવારજનોએ (પાંચોટ વાળા – હાલ શૈલજા શરણમ્, મહેસાણા) સહભાગિતા નોંધાવી હતી. પરિવાર દ્વારા આ તિથિ ભોજનનું આયોજન સ્વર્ગસ્થ ભગવતીબેનની યાદમાં કરવામાં આવ્યું હતું, જે માનવસેવાના ભાવને ઉજાગર કરે છે.

આ પ્રસંગે ગામજન અને શાળા પરિવારે દાતાશ્રીના આ સેવાભાવી કાર્યની પ્રશંસા કરી હતી અને આવી પ્રવૃત્તિઓથી સમાજમાં સહાનુભૂતિ અને સેવા ભાવના વધે તેવી આશા વ્યક્ત કરી હતી. સાથે જ સ્વર્ગસ્થ ભગવતીબેન પરસોતમભાઈ પટેલના દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રકારના સામાજિક કાર્યોથી સમાજમાં એકતા અને સહકારની ભાવના મજબૂત બનતી હોવાનો મત વ્યક્ત કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande