પોરબંદર – આસનસોલ વચ્ચે 13 એપ્રિલથી દરેક સોમવારે દોડશે “સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન” ટિકિટોની બુકિંગ 10 એપ્રિલ, 2026 (શુક્રવાર)થી શરૂ થશે
ભાવનગર 8 એપ્રિલ (હિ.સ.) યાત્રિયોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ઉનાળાની રજાઓ દરમિયાન વધારાની મુસાફરી સુવિધા પૂરી પાડવા માટે ટ્રેન ઓન ડિમાન્ડ (TOD) હેઠળ વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન વિશેષ ભાડા (Special Far
પોરબંદર – આસનસોલ વચ્ચે 13 એપ્રિલથી દરેક સોમવારે દોડશે “સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન


ભાવનગર 8 એપ્રિલ (હિ.સ.) યાત્રિયોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ઉનાળાની રજાઓ દરમિયાન વધારાની મુસાફરી સુવિધા પૂરી પાડવા માટે ટ્રેન ઓન ડિમાન્ડ (TOD) હેઠળ વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન વિશેષ ભાડા (Special Fare) પર ચલાવવામાં આવશે.

મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા પોરબંદર અને આસનસોલ વચ્ચે “સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન” દોડાવવામાં આવશે. આ સેવા એપ્રિલ 2026 થી જૂન 2026 દરમ્યાન બંને દિશામાં કુલ 12-12 ફેરા સાથે ચલાવવામાં આવશે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠી મુજબ ટ્રેનોની વિગત નીચે મુજબ છે—

ટ્રેન નંબર 09205 પોરબંદર – આસનસોલ સાપ્તાહિક સ્પેશિયલ 13 એપ્રિલ, 2026 થી 29 જૂન, 2026 સુધી ચાલશે. આ ટ્રેન પોરબંદરથી દરેક સોમવારે સવારે 8:50 વાગ્યે પ્રસ્થાન કરી બુધવારે સવારે 6:45 વાગ્યે આસનસોલ પહોંચશે.

તે જ રીતે પરત ફરતી ટ્રેન નંબર 09206 આસનસોલ – પોરબંદર સાપ્તાહિક સ્પેશિયલ 15 એપ્રિલ, 2026 થી 01 જુલાઈ, 2026 સુધી ચાલશે. આ ટ્રેન આસનસોલથી દરેક બુધવારે રાત્રે 23:05 વાગ્યે પ્રસ્થાન કરી શુક્રવારે રાત્રે 21:50 વાગ્યે પોરબંદર પહોંચશે.

આ ટ્રેન બંને દિશામાં ભાણવડ, લાલપુર જામ, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર જં., વિરમગામ, અમદાવાદ, આનંદ, છાયાપુરી, ગોધરા જં., રતલામ, નાગદા જં., ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના, લલિતપુર, વિરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી જં., ગોવિંદપુરી, પ્રયાગરાજ જં., મિર્જાપુર, પંડિત દિનદયાળ ઉપાધ્યાય જં., ભભુઆ રોડ, સાસારામ, ડેહરી ઓન સોન, ગયા, કોડરમા, હજારીબાગ રોડ, પારસનાથ, નેતાજી સુભાષચંદ્ર બોસ જં. ગોમો, ધનબાદ જં. સ્ટેશનો પર ઠેરવાશે. ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર તેમજ જનરલ શ્રેણીના કોચ ઉપલબ્ધ રહેશે.

ટ્રેન નંબર 09205 માટે ટિકિટોની બુકિંગ 10 એપ્રિલ, 2026 (શુક્રવાર)થી યાત્રી આરક્ષણ કેન્દ્રો તેમજ IRCTC ની સત્તાવાર વેબસાઇટ પર શરૂ થશે. મુસાફરો ટ્રેનના સમય, ઠેરાવ અને રચના અંગે વિગતવાર માહિતી માટે ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર માહિતી મેળવી શકે છે.

મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ મુસાફરોને આ વિશેષ ટ્રેન સેવાનો વધુમાં વધુ લાભ લેવા અને પોતાની મુસાફરીને સરળ તથા સુવિધાજનક બનાવવા અપીલ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande