ડાયજેસ્ટિવ બિસ્કિટના ભ્રામક દાવાઓ બદલ એસએજે ફૂડ પ્રોડક્ટ્સને નોટિસ
નવી દિલ્હી, 27 જૂન (હિ.સ.). ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક સત્તામંડળ (એફએસએસએઆઈ) એ, ગ્રાહકની ફરિયાદના આધારે એસએજે ફૂડ પ્રોડક્ટ્સને નોટિસ ફટકારી છે. આ ફરિયાદ કંપનીના ઈટ ફિટ ડાયજેસ્ટિવ બિસ્કિટ પર કરવામાં આવેલા કથિત ભ્રામક દાવાઓ અંગે નોંધાવવામાં આવી
એફએસએસએઆઈ એ જારી કરેલી નોટિસ


નવી દિલ્હી, 27 જૂન (હિ.સ.). ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક સત્તામંડળ (એફએસએસએઆઈ) એ, ગ્રાહકની ફરિયાદના આધારે એસએજે ફૂડ પ્રોડક્ટ્સને નોટિસ ફટકારી છે. આ ફરિયાદ કંપનીના ઈટ ફિટ ડાયજેસ્ટિવ બિસ્કિટ પર કરવામાં આવેલા કથિત ભ્રામક દાવાઓ અંગે નોંધાવવામાં આવી હતી. એફએસએસએઆઈ એ, કંપનીને 7 દિવસની અંદર નોટિસનો જવાબ આપીને સ્પષ્ટીકરણ આપવાનો નિર્દેશ કર્યો છે.

એફએસએસએઆઈ એ જારી કરેલી નોટિસમાં જણાવ્યું છે કે, બિસ્કિટ કંપનીએ તેની પ્રોડક્ટ અંગે દાવો કર્યો હતો કે તેમાં ખાંડ નથી, જ્યારે તેમાં સોલિડ ગ્લુકોઝ સિરપ અને માલ્ટોડેક્સટ્રિન હાજર છે. આ સાથે કંપનીએ તેમાં 100 ટકા લોટ હોવાનો દાવો કર્યો છે, જ્યારે તેમાં માત્ર 72 ટકા જ લોટ છે.

સત્તામંડળે જણાવ્યું છે કે, આ મામલે તપાસ ચાલી રહી છે અને કંપનીના જવાબના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande