


પોરબંદર, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : વડાપ્રધાનનરેન્દ્ર મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના
અવસરે આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત પોરબંદર રાજમહેલ ખાતે ‘આશીર્વાદનો
દીવો’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વન અને પર્યાવરણ મંત્રીઅર્જુન મોઢવાડિયા સહભાગી થયા હતા.
આ
પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા, મેયર સાગર મોદી સહિતના મહાનુભાવોએ
ભારતના નકશામાં ‘વિઝન-2047’ની આકૃતિ તૈયાર કરી દીવડાઓ પ્રગટાવ્યા હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકો, અગ્રણીઓ
તથા વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ
થવા નિમિત્તે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી તેમજ દેશની પ્રગતિ અને જનકલ્યાણ માટે
શુભકામનાઓ પાઠવી હતી.
આ
પ્રસંગે જિલ્લા પ્રભારી વિમલભાઈ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ.ચેતનાબેન તિવારી, મહામંત્રી પ્રવીણ ઓડેદરા કોર્પોરેટરઓ સહિતના આગેવાનો અને
નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya